ગુજરાતના આંગણે મીની અયોધ્યાનું નિર્માણ થઈ રહ્યું છે, અને આ અયોધ્યા રાજકોટના આજી ડેમ નજીક 47 એકરમાં રામવનના સ્વરૂપે લોકો માટે ઉભું કરવામાં આવશે
રાજકોટમાં બનશે મિની અયોધ્યા
આજીડેમ પાસે રામવન બનશે
47 એકરમાં તૈયાર થઈ રહ્યું છે રામવન
ગુજરાત પર્યટનની દીશામાં ખુબ આગળ વધી રહ્યું છે. નવા-નવા પર્યટન સ્થળો વિકસીત થઈ રહ્યા છે. લોકોને કુદરતી સૌંદર્ય સાથે એક સારું ફરવા લાયક સ્થળ મળે તે દીશામાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તરફ રાજકોટ વાસીઓ માટે પણ ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે. અને આ સ્થળ એટલે કે, આજી ડેમ પાસે તૈયાર થઈ રહેલ રામ વન.. જેમાં કુંદરતી સૌંદર્ય સાથે ભગવાન સામનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવશે. ત્યારે કેવું હશે રાજકોટમાં નિર્માણ થઈ રહેલ અયોધ્યાનું રામ વન આવો તે પણ જોઈએ...
આ રામવનમાં ફરવા આવતા લોકો માટે કેવા-કેવા આકર્ષણો હશે તેના પર નજર કરીએ તો.. રામ વનમાં સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબિશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે