હનુમાનજીનું નામ આવે એટલે બ્રહ્મચારી હોવાની વાત તરત જ યાદ આવે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ આવેલ છે જ્યાં હનુમાનજી પોતાના પત્ની સાથે એક મંદિરમાં બિરાજમાન થયાં છે.
તેલંગણા રાજ્યના તેલંગાણા રાજ્યમાં ખમ્મમ જિલ્લામાં આ પ્રાચીન મંદિર આવેલ છે. આ સ્થળ શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે.
તેલંગણા રાજ્યમાં આવેલ આ જગ્યા પર ભગવાન હનુમાન પત્ની સુવર્ચલાની સાથે જોવા મળે છે લોકમુખે ચર્ચાતી માન્યતા અનુસાર જે પણ ભાવિક હનુમાનજી અને તેમનાં પત્નીના દર્શન કરવાથી લગ્ન જીવનમાં ચાલતી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચે ફરી પ્રેમ સંબંધ મજબૂત બને છે.
શું છે હનુમાનજીના લગ્નનું રહસ્ય..?
હનુમાનજી સુર્યદેવને પોતાના ગુરૂ માનતા હતા. હનુમાનજીએ 9 વિદ્યા સુર્ય પાસેથી શીખી હતી. આ વિદ્યામાંથી 5 વિદ્યાઓ હનુમાનજીને આપ્યા બાદ અન્ય 4 વિદ્યાઓ અંગે સુર્ય દેવ માટે સંકટ આવી પડ્યું.કારણ કે આ 4 વિદ્યા શીખવામાંટે શિષ્ય પરણીત હોય તે અનિવાર્ય હતું. આ વાત હનુમાનજીને સુર્યદેવે કરતા પ્રથમ વાર તો તેમણે આ વાતનો વિરોધ નોંધાવી ના પાડી દીધી પરંતુ આ વિદ્યા શીખવામાંટે તેમણે અંતે હા પાડી.
લગ્ન કર્યા પછી પણ રહ્યા બ્રમ્હચારી
હનુમાનજીએ લગ્નની હા પાડ્યા બાદ સુર્યદેવના તેજમાંથી એક કન્યાનો જન્મ થયો. તેનું નામ સુર્વચના હતું. હનુમાનજીએ તેમની સાથે લગ્ન કર્યા પરંતુ તેમ છતાં તે બાળ બ્રમ્હચારી રહ્યા. કારણ કે લગ્ન કર્યા બાદ સુર્વચના ફરી તપસ્યામાં લીન થઇ ગઇ હતી.
આજે પણ આ તેલંગણાના જીલ્લાની મુલાકાતે આવતા દરેક લોકો આ મંદિરના દર્શને આવી ચડે છે. અને જેમના લગ્નજીવનમાં ખટરાગ ચાલતો હોય તે દુર થાય છે.