દરેક પરિવારમાં રાખવામાં આવેલ મંદિરને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.મંદિરને કારણકે ઘરમાં મંદિર રાખવાથી પવિત્રતા પણ વધે છે. આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા પણ અવિરત બની રહે છે. આ સાથે કેટલીક એવી બાબતોનું ધ્યાન રાખીશું તો અન્ય રીતે પણ ઘણો ફાયદો થશે.
મંદિર સુધી સુર્યની રોશની અને તાજી હવા પહોંચવી જોઇએ.
- ઘરની અંદર રાખવામાં આવેલ મંદિર સુધી દિવસ દરમિયાન સુર્ય ઉર્જા અને કુદરતી હવા ચોકક્સ પહોંચવી જોઇએ. જે ઘરમાં સુર્યની રોશની અને તાઝી હવા પહોંચતી હોય તે ઘરમાં કોઇ પ્રકારનો દોષ જોવા મળતો નથી. સુર્ય પ્રકાશને કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા ઓછી થાય છે.
પુજા કરતી વખતે મુખ આ દિશામાં રાખો
ઘરની અંદર પુજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો તે ખુબ જ લાભકારક માનવામાં આવે છે. આ માટે પુજા સ્થળનું મુખ પુર્વ દિશામાં હોવુ વધારે જરૂરી છે. જો વાત શક્યના ના હોય તો ઉત્તર દિશામાં મુખ રાખીને પુજા કરવાથી ફાયદો થાય છે.
- પુજાના રૂમમાં આટલી વસ્તુ ક્યારેય ના લઇ જાવ
જે ઘરમાં જે સ્થળ પર મંદિર રાખવામાં આવેલ છે તે જગ્યાએ ચામડામાંથી બનેલ વસ્તુઓ ના લઇ જવી મંદિરમાં મૃતક અને પુર્વજોની તસ્વીર ક્યારેય ના રાખવી જોઇએ. પુર્વજોના ફોટા અને તસ્વીર હંમેશા દક્ષીણ દિશામાં રાખવા જોઇએ પરંતુ મંદિરની અંદરના રાખવા જોઇએ. મંદિરમાં મંદિરની જરૂરીયાતને લગતી સામગ્રી જ રાખવી જોઇએ. વધારાની વસ્તુઓ મંદિરની બહાર રાખવા જોઇએ.