અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી તાપમાનમાં વધારાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્જ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ બપોરે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યભરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી 43 ડિગ્રીથી વધુ રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યું છે.
અલર્ટને સમજો સચેત રહો !
યલો અલર્ટ
40 થી 42 ડિગ્રી
ઓરેન્જ અલર્ટ
42 થી 44 ડિગ્રી
રેડ અલર્ટ
45 ડિગ્રીથી વધારે
ગરમીથી બચવા શું કરશો ?
ગરમીમાં બહાર નીકળવાનું ટાળો
શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો
તાપથી બચવા ટોપી ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરો
ભીંના કપડાથી માથું ઢાંકીને રાખો
સીધા તાપથી બચવું
ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું
ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો
લૂ લાગવાથી બચવાના ઉપાય
- પાણી લીંબુ શરબત છાશ નાળિયેરનું પાણી વધારે પીવો
- વરિયાળી કાચી કેરી ગુલાબ અને કાળી દ્રાક્ષના સરબત પીવો
- બને તો ઉપવાસ કરવાનું ટાળો
- સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું
લૂ લાગવાનાં લક્ષણો
- માથા અને પગની પિંડીઓમાં દુઃખાવો
- ઊલ્ટી ઊબકા અને ચક્કર આવવા
- આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઇ જવું
ગરમીથી બચવાના ઉપાય
- દરરોજ 2થી 3 લીટર પાણી પીવું
- બને તેટલું વધુ પાણી પીવું જોઇએ
- બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળો
- ગરમીમાં મોઢા પર રૂમાલ બાંધીને નીકળવું
- બજારની ઠંડી વસ્તુ આરોગવાનું ટાળો
- ગરમીમાં વધારે ખોરાક લેવાનું પણ ટાળવું જોઇએ
- વધારે ખોરાક લેવાથી ઉલટી થવાની શકયતા વધુ
- ભૂખ્યા રહેવાનું પણ ટાળો
- બહારનો ખોરાક લેવાનું ટાળો
- લીંબુ પાણી પીવું પણ ફાયદાકારક
- તળેલા પદાર્થ લેવાનું ટાળો
- કેરી મોસંબીનો રસ દહીં લસ્સી પીવાનો આગ્રહ રાખો
- દૂધી કાકડી પાલક ફુદીનો ડુંગળી લીંબુનો વધુ ઉપયોગ કરવો
- આંબલી-ગોળનું પાણી પણ લૂ લાગવાથી બચાવી શકે છે