તેલુગુ ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે હૈદરાબાદ સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું. 21 વર્ષની નાગા ઝાંસી હૈદરાબાદની શ્રીનગર કોલોનીમાં રહેતી હતી. એક્ટ્રેસનો મૃતદેહ એના ઘરે પંખા પર લટકતો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસે જ્યારે આત્મહત્યા કરી ત્યારે એ ઘરમાં એકલી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે એના ભાઇ દુર્ગા પ્રસાદે દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઇ અવાજ આવ્યો નહીં. ત્યારબાદ એમને પડોશીને આ વાતની જાણકારી આપી. જ્યારે દરવાજો તોડીને પરિવારના અંદર ઘૂસ્યા તો એક્ટ્રેસનો મૃતદેહ પંખાથી લટકેલો મળ્યો.
આત્મહત્યા શા માટે કરી એનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર કહેવામાં આવ્યું છે કે નાગા ઝાંસી ઘણા મહિનાથી ડિપ્રેશનમાં હતી. એના કારણે એક્ટ્રેસના પાર્ટનરે લગ્નનું પ્રપોઝલને રિજેક્ટ કરવાનું જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર એક્ટ્રેસે સૂર્યાની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. પરંતુ પેરેન્ટ્સને આ સંબંધ મંજૂર નહતો.
પેરેન્ટ્સે આ લગ્ન માટે ના પાડી દીધી હતી. એક્ટ્રેસ નાગા ઝાંસીના સંબંધીઓ પ્રમાણે એ સૂર્યા સાથે રિલેશનશીપમાં હતી. પરંતુ લગ્નનું પ્રપોઝલ નકારી દેવાના કારણે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી.