ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભલે એન્ટરટેઇનમેન્ટ માટે હોય પરંતુ રાજનીતિથી દૂર નથી રહી શકતી. કેટલાક ફિલ્મસ્ટાર સફળ નેતા પણ બન્યા છે. હવે તેલૂગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો વિવાદ ઉભો થયો છે. તેલૂગુ અભિનોતાઓ પર આરોપ છે કે, તેમન ફાયદા માટે તેઓ મુખ્યમંત્રઈને મળવા ગયા હતા. આવો આરોપ પહેલા સુપરસ્ટાર નંદમૂરી બાલાકૃષ્ણા પણ લગાવી ચૂક્યા છે.
તેલૂગુ સ્ટાર્સ પર ભડક્યા ચાહકો
મુખ્યમંત્રીને મળ્યા સિતારા
શું છે સમગ્ર ઘટના?
નંદમૂરી બાલાકૃષ્ણાએ આરોપ લગાવ્યો હતો કે તેલૂગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માત્ર પોતાના ફાયદા માટે અને જમીન હડપવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગણાની સરકારો સાથે મુલકાત કરે છે. બાલાકૃષ્ણાના આરોપો સાચા હોય તેવું લાગી રહ્યું છે. ચિરંજીવી, નાગાર્જુન, સુરેશ બાબૂ જેવા લોકોએ આ આરોપોને હવા આપી છે.
ચિરંજીવીના નેતૃત્વમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનીધિમંડળ આંધ્રના મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીને મળવા ગયુ હતું. આ લોકોની માગ હતી કે, શૂટિંગ ફરીથી શરૂ થાય પરંતુ સાભળવામાં આવ્યુ હતુ કે, સ્ટાર્સની ટીમ નંદી અવોર્ડ્સની વાત અને વિશાખાપટ્ટનમમાં સ્ટુડીયો માટે જગ્યા માંગવાની માગ કરવા લાગ્યા હતા. આ સિવાય તેમણે સબસીડીની વાત પણ કરી હતી.
આ વાત પર થયો વિવાદ
આ મિટીંગ પર સોશિયલ મિડીયા પર દંગલ ચાલી રહ્યો છે. સોશિયલ મિડીયા પર દરેક લોકો બાલાકૃષ્ણની વાતને સમર્થન આપી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે, કોરોના વાયરસના આવા મુશ્કેલ સમયમાં શૂટિંગ અને એવોર્ડ્સ જેવી વાતો શોભા નથી આપતી. આ સિવાય આ લોકો પોતાના એવોર્ડ્સ પાક્કા કરાવવા YS જગનને મળ્યા હતા.