રામ મંદિરને લઈ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. સી.આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસને રામ મંદિર બનાવવાની વાત પર વિશ્વાસ ન હતો. ભાજપે રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો કે 2024 માં રામ ભગવાનનાં દર્શન થઈ શકશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરને લઈ સી.આર.પાટીલે કર્યો પ્રહાર
કોંગ્રેસને રામ મંદિર બનવાની વાત પર વિશ્વાસ નહતો- સી.આર.પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રામ મંદિરને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. કચ્છના કાર્યક્રમમાં સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બનવાની વાત પર વિશ્વાસ નહતો, ત્યારે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો 2024માં રામ ભગવાનના દર્શન થઈ શકશે. વધુમાં સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપે જમ્મૂ-કશ્મીરમાંથી 370 કલમ પણ હટાવી દીધી.
કોંગ્રેસીઓને કહેજો કે 2024 માં રામલલ્લાનાં દર્શન કરવા અયોધ્યા આવી જાય
આ બાબતે સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને અનેક જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા છે. રામ જન્મભુમિની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરીશું. ત્યારે પ્રદેશની મીટીંગમાં તો હું આ વાત કહું જ છું કે કોંગ્રેસીઓ એમ કહેતા હોય છે કે ભાજપીયાઓ કહે છે કે મંદિર વહી બનાયેગે તારીખ નહી બતાયેગે. એ લલ્લુઓને કહી દેજો 2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય. એ આપેલું વચન વડાપ્રધાન પુરૂ કરી રહ્યા છે. કાશ્મીરમાંથી 270 ની કલમ રદ્દ કરી
મેનીફેસ્ટોની કમિટીમાં ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે 370 ની કલમ રદ્દ કરીશું. આપણને વિશ્વાસ ન હતો કે ક્યારે રદ્દ થશે. આતો મોદી છે તે મુમકીન છે. વડાપ્રધાનને રાજ્યસભા કોંગ્રેસના એક આગેવાને ધમકી આપી હતી કે મોદીજી 370 કો હાથ મત લગાના હાથ જલ જાયેગા, કાશ્મીરને ખૂન કી નદીયા બહેગી. આ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવી ધમકીઓથી ગભરાય. એક જ દિવસમાં 370 ની કલમો રદ્દ કરી નાંખી. કાશ્મીરમાં ખૂનની નદીઓની વાત તો દૂર રહી લોહિનું એક ટીપું પણ નથી પડ્યું.