પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી. બંને રાષ્ટોના નેતા વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ ઓસાકામાં જી 20 સમિટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
PM Narendra Modi had a telephone conversation today with US President Donald Trump. They spoke about bilateral and regional matters. (file pics) pic.twitter.com/RH9iM1GvSo
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન બોર્ડર પર થઇ રહેલી આતંકવાદી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનનું નામ લીધા વગત પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવતું ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનબાજી ક્ષેત્રીય શાંતિ માટે લાભદાયી નથી.
Prime Minister @narendramodi had a telephone conversation today with @POTUS H.E. Mr. Donald Trump. Their thirty-minute conversation covered bilateral and regional matters and was marked by the warmth and cordiality which characterises the relations between the two leaders.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન PM મોદીએ આતંક અને હિંસા મુક્ત વાતાવરણના નિર્માણ પર ભાર મુક્યો હતો અને કહ્યું કે, આવા વાતાવરણમાં સીમા પર આતંકવાદની કોઇ જગ્યા ન હોવી જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જે પણ દેશ ગરીબી, નિરક્ષરતા અને બિમારી સામે લડી રહ્યો છે, ભારત તેના માટે સહકાર આપવા સમર્પિત છે. રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીત દરમિયાન વડા પ્રધાને અફઘાનિસ્તાનની આઝાદીના 100 વર્ષ પૂરા થવાનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને કહ્યું કે ભારત હંમેશાં એક સંગઠિત, સલામત, લોકશાહી અને સાચા સ્વતંત્ર અફઘાનિસ્તાન માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને તે હજી પણ ચાલુ રહેશે.
Prime Minister @narendramodi had a telephone conversation today with @POTUS H.E. Mr. Donald Trump. Their thirty-minute conversation covered bilateral and regional matters and was marked by the warmth and cordiality which characterises the relations between the two leaders.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઓસાકામાં બંને નેતાઓ વચ્ચે થયેલ વાતચીતને યાદ કરી હતી. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં ભારતના વાણિજ્ય પ્રધાન અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ એકબીજાને મળશે અને બંને દેશો વચ્ચેના વેપાર સાથેના દ્વિપક્ષીય મુદ્દાઓનું સમાધાન પરસ્પર હિતમાં કરશે. ભારત સરકારના એક અધિકારીએ કહ્યું કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત હૂંફાળું અને સૌહાર્દ પૂર્ણ રીતે થઇ.