ટેલિકોમ કંપનીના નવા નિયમો અનુસાર 1 જાન્યુઆારી 2021થી કોઈ પણ લેન્ડલાઈન ફોનથી મોબાઈલ નંબર પર વાત કરવા માટે આગળ શૂન્ય લગાવવાનો રહેશે. આ સાથે જ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 20 નવેમ્બરે એક સર્ક્યુલર પણ આપવામાં આવ્યો છે જેમાં આ નિયમનો ઉલ્લેખ કરાયો છે. 10 નંબરના મોબાઈલ નંબરની આગળ 0 લગાવવાથી કુલ નંબર 11 અંકનો થશે.
ટેલિકોમ કંપનીઓએ કર્યા ફેરફાર
લેન્ડલાઈનથી મોબાઈલ પર ફોન કરવા માટે બદલાશે નિયમો
નવા નિયમો 1 જાન્યુઆરી 2021થી થશે લાગૂ
આ છે નવો નિયમ
નવા નિયમો અનુસાર 1 જાન્યુઆરી 2021થી કોઈ પણ લેન્ડલાઈન ફોનથી મોબાઈલ નંબર પર વાત કરવા માટે શૂન્ય લગાવવાનું જરૂરી છે. આ માટે ટેલિકોમ કંપનીઓએ 20 નવેમ્બરે એક સર્ક્યુલર જાહેર કર્યો છે. તેમાં કહેવાયું છે કે હવે લેન્ડલાઈનથી મોબાઈલ નંબર લગાવવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે અને ટ્રાઈએ તેને મંજૂરી આપી છે. તેનાથી મોબાઈલ અને લેન્ડલાઈનની સેવાઓ માટે પૂરતા પ્રમાણમાં નંબર બનાવવાની સુવિધા મળશે.
ઝીરોથી તૈયાર કરાશે 254.4 કરોડ નંબર
ડાયલ કરવાની રીતમાં આ બદલાવથી દૂરસંચાર કંપનીઓને મોબાઈલ સેવાઓ માટે 254.4 કરોડ નવા નંબર તૈયાર કરવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે. તેનાથી વધુ નવા નંબર પણ કંપનીઓ જાહેર કરી શકશે.
11 અંકનો હોઈ શકે છે મોબાઈલ નંબર
ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 અંકનો મોબાઈલ નંબર જાહેર કરી શકે છે. હાલમાં દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેના કારણે 10 અંકના નંબર પણ ઓછા પડી રહ્યા છે. એવામાં આગળ ફક્ત ઝીરોનો ઉપયોગ કરવા માટેનો આ રસ્તો સરળ બની શકે છે.