ભારતમાં તમામ ટેલિકોમ કંપનીઓએ તેમના ટેરિફના ભાવમાં વધારો કરી દીધો છે. રિલાયન્સ જિયોથી લઈને આઈડિયા વોડાફોન અને એરટેલે દરેક પ્લાન્સના ભાવમાં 40 ટકા સુધી વધારો કર્યો છે, પરંતુ આ વધારો અહીં અટકશે નહીં, આગામી સમયમાં ટેરિફના ભાવમાં હજી વધારો થઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે ટેલિકોમ ઉદ્યોગને નુકસાનથી બચાવવા માટે ફરી રેટ વધારવામાં આવી શકે છે.
ટેરિફમાં ફરી થઈ શકે છે વધારો
ટેલિકોમ કંપનીની મુશ્કેલીઓ વધશે
નુકસાનથી બચવા વધારાશે રેટ
ટેરિફના રેટમાં થવો જોઈએ વધારો
ટેલિકોમ ટોકની એક રિપોર્ટ મુજબ, સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એટલે કે COAIના ડિરેક્ટર જનરલ, રાજન મેથ્યૂઝનું માનવું છે કે, ટેલિકોમ ઉદ્યોગના આર્થિક તણાવને ઠીક કરવા માટે ટેરિફમાં હજી વધારો કરવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું છે કે, ટેરિફ વધારો 200 રૂપિયા ARPU (એવરેજ રેવન્યૂ પર યુઝર) સુધી થવો જોઈએ.
ટેરિફ વધારાને લઈને TRAI પાસે ગઈ છે ટેલિકોમ કંપની
ટેલિકોમ કંપનીઓ પણ ટેરિફ વધારાને લઈને TRAI પાસે ગઈ છે જેથી વોઈસ અને ડેટા માટે ફ્લોર પ્રાઈસિંગ નક્કી કરી શકાય. ફ્લોર પ્રાઈસિંગ માટે એક પેપર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત આવતા મહિને અથવા આવતા સપ્તાહે ટેરિફના ભાવ હજી પણ વધી શકે છે. એક ઈન્ટરવ્યૂમાં COIAના હેડ વડા રાજન મેથ્યૂઝે કહ્યું હતું, હા, અમે કહી રહ્યા હતા કે ટૂંકા ગાળા માટે ટેરિફ ઓછામાં ઓછાં 200 રૂપિયા ARPU કરવામાં આવે.