પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેલિકોમ સેક્ટર માટે પણ મોટો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેલિકોમ સેક્ટર માટે મોટો નિર્ણય
રાહત પેકેજની કરાઈ જાહેરાત
રાહત પેકેજ બાદ ટેલિકોમ કંપનીઓના શેરમાં આવ્યો ઉછાળો
મોબાઈલ ટેરિફ ચાર્જ પણ ઘટવાની સંભાવના
મોદી સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહેત પેકેજ મંજૂર કર્યું છે.
રાહત પેકેજ બાદ ટેલિકોમ શેરમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતી એરટેલનો શેર 732.80 રુપિયાની સપાટી વટાવી ગયો. ટેલિકોમ સેક્ટરમાં રાહત પેકેજની ખબર પછી વોડાફોન-આઈડિયાના શેરમાં 50.42 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે.
ટેલિકોમ સેક્ટર માટે 100 ટકા FDI ને મંજૂરી
કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે 100 ટકા FDI ને મંજૂરી આપી દીધી છે. કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા ટેલિકોમ મિનિસ્ટર અશ્વીની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સની જે બાકી રકમ છે તેની પર 4 વર્ષના મોરેટોરિયમને મંજૂરી આપવામાં આવી છે.
ટેલિકોમ કંપનીઓને મળશે આ રાહત
(1) ટેલિકોમ કંપનીઓ તેમના બાકી દેવાની માટે ચાર વર્ષનો સમય મળશે
(2) વોડાફોન આઈડિયાએ સરકારને મોટી રકમ ચુકવવાની છે, તેને રાહત મળશે
(3) ટેલિકોમ કંપનીઓને તેમના સ્પેક્ટ્રમની બાકી રકમ પર વ્યાજને સરકારી ઈક્વીટીમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળી શકે છે
સરકારી રાહત બાદ ટેલિકોમ કંપનીઓ ટેરિફ ચાર્જ પણ ઘટાડી શકે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર સરકારના રાહત પેકેજથી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત મળશે તેઓ ગ્રાહકોને ફાયદો આપે તો નવાઈ નહીં.
બીએસએનએલ-એમટીએનએલ માટે મોટી જાહેરાત
સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએનએલ-એમટીએનએલ પર મોટું દેવું છે. આ બંને કંપનીઓ માં પણ મોટી રાહત થવાની અપેક્ષા છે. માનવામાં આવે છે કે લોન ઇક્વિટીમાં રૂપાંતરિત થાય છે.આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા (કુમાર મંગલમ બિરલા)એ જૂન 2021માં દેવાથી ભરેલા વોડાફોન આઇડિયા (6)માં પોતાનો હિસ્સો સરકારને સોંપવાની ઓફર કરી હતી.
સરકાર ઇચ્છે તો ભાગીદારી સક્ષમ ઘરેલું નાણાકીય પેઢીને સોંપવા તૈયાર છે. વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)ની રચના યુકેની ટેલિકોમ જાયન્ટ વોડાફોન અને બિરલાની આઇડિયા સેલ્યુલર લિમિટેડના ભારતીય યુનિટના મર્જર બાદ કરવામાં આવી હતી.