તેલંગાણાના પાલમપેટમાં આવેલા મશહૂર કાકતીય રૃદ્રેશ્વર મંદિરને વિશ્વ ધરોહરમાં સામેલ કરાયું છે. યુનેસ્કોએ તેની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેને સ્થાન આપ્યું છે.
તેલંગાણાનું કાકતીય રૃદ્રેશ્વર મંદિર વિશ્વ ધરોહરમાં સામેલ કરાયું
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું
આ મંદિર રામપ્પા તરીકે પણ ઓળખાય છે
800 વર્ષ છે જુનું, પીએમ મોદીએ દેશને અભિનંદન આપ્યાં
કાકતીય રૃદ્રેશ્વર મંદિર હજારો સ્તંભોનું બનેલું છે જે તેની સૌથી મોટી વિશેષતા છે.
કાકતીય રૃદ્રેશ્વર મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને લખ્યું કે શાનદાર, તમામ દેશવાસીઓને ખાસ કરીને તેલંગાણાના લોકોને અભિનંદન. પ્રતિષ્ઠિત રામપ્પા મંદિર મહાન કાકતીય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલને પ્રદર્શિત કરે છે. હું તમને બધાને રાજસી મંદિર પરિસરની યાત્રા અને તેની ભવ્યતાના પ્રત્યક્ષ અનુભવ મેળવવાનો આગ્રહ કરુ છું.
Excellent! Congratulations to everyone, specially the people of Telangana.
The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex and get a first-hand experience of it’s grandness. https://t.co/muNhX49l9Jpic.twitter.com/XMrAWJJao2
શું છે મંદિરની વિશેષતા
આ મંદિર વારંગલથી 77 કિમી દૂર આવેલું છે. કાકતીય વંશના શાસન દરમિયાન તેનું નિર્માણ થયું હતું. રાજા રુદ્રદેવે તેને બંધાવ્યું હતું. તેના શિલ્પકાર હતા રામપ્પા. તેમને નામે આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે.
🔴 BREAKING!
Just inscribed as @UNESCO#WorldHeritage site: Kakatiya Rudreshwara (Ramappa) Temple, Telangana, in #India🇮🇳. Bravo! 👏
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳😷 (@UNESCO) July 25, 2021
કાકતીય મંદિર 800 વર્ષ જુનું હોવાનું મનાય છે તે સમયે માર્કો પોલો ભારત આવ્યાં હતા ત્યારે તેમણે આ મંદિરને ચમકતો તારો ગણાવ્યું હતું. આ મંદિરમાં શિવ, શ્રી હરિ અને સૂર્ય દેવતાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિરનું વિશાળ પ્રવેશદ્વાર, હજારો સ્તંભો અને મનમોહક કોતરણી આકર્ષણનું મુખ્ય કેન્દ્રબિંદુ છે.