તેલંગાણામાં મંગળવારે કોરોના વાયરસના 52 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે કોરોનાના કુલ કેસ વધીને 644 થઈ ગયા છે. ત્યારે એક અવી ઘટના પણ સામે આવી છે જે ડૉક્ટરોનું મોરલ તોડી દેનારી છે. જે એ છે કે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીના સગાએ ડૉક્ટર પર હુમલો કર્યો હતો.
કોરોનાના શંકાસ્પદ દર્દીના દિકરાએ ડૉક્ટર પર હુમલો કર્યો
ડોક્ટરે પોલીસ ફરિયાદ કરી
પોલીસે નજીકના વિસ્તારમાંથી હુમલા ખોરને શોધી લીધો
તેલંગાણાના હૈદરાબાદમાં કોવિડ-19ની ફરજ બજાવી રહ્યા છેય એક ડૉક્ટર પર હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલા એક દર્દીના દિકરાએ હુમલો કર્યો છે. ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં ચિકિત્સા અધિક્ષકે જણાવ્યું કે પૃથક વોર્ડમાં બે લોકોને કોરોના વાયરસ હોવાની ખાતરી થયા બાદ આ વ્યક્તિ હોસ્પિટલમાંથી રજા માંગી રહ્યો હતો. જેને લઈને દલીલ ચાલી રહી હતી. આ દરમિયાન તેના દિકરાએ એક કનિષ્ઠ ડોક્ટર પર હુમલો કર્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે નજીકના વિસ્તારમાં જ તે મળી આવ્યો હતો. પોલીસે ડૉક્ટરની ફરિયાદ પર કેસ દાખલ કર્યો છે.
મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 11,487 કેસ નોંધાયા છે. જ્યારે 393 લોકોના મોત નિપજ્યા છે.
તેલંગાણામાં અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં એક નાગરિકે પહેલા પોલીસને વાયરસ થીમ પર હેલ્મેટ આપ્યા હતા. હવે બીજા એક કાર સંગ્રહાલયના માલિકે ‘વાયરસ કાર’ બનાવી છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જાહેરાત કરી છે કે 1થી 9ની વચ્ચેના વિદ્યાર્થીઓને પરિક્ષા વગર પ્રમોટ કરી દેવામાં આવશે.