હૈદરાબાદઃ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નાં પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ રાજ્યનાં મુખ્યમંત્રીનાં રૂપમાં ગુરૂવારનાં રોજ શપથ લેશે. કેસીઆરનો આ બીજો સતત કાર્યકાળ રહેશે. તેલંગાણા સાથે જોડાયેલ સૂત્રોએ કહ્યું કે તેઓ રાજભવનમાં બપોરનાં 1:30 કલાકે આયોજિત સમારોહમાં શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ ઇ.એસ.એલ નરસિમ્હન તેઓનાં પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે.
TRSનાં કેટલાંક ધારાસભ્યોની પણ કેસીઆર સાથે શપથ લેવાની આશા છે. લોકોની વચ્ચે કે. ચંદ્રશેખર રાવ કેસીઆરનાં નામથી લોકપ્રિય છે. બાદમાં TRSનાં નવા ચૂંટાયેલાં ધારાસભ્યોની તેલંગાણા ભવનમાં બેઠક હશે. જ્યાં તેઓ કેસીઆરને પોતાનાં નેતા તરીકે પસંદ કરશે. તેલંગાણામાં 7 ડિસેમ્બરનાં રોજ ચૂંટણીમાં 119 સભ્યોની વિધાનસભામાં TRSને 88 સીટો હાંસલ થયેલ છે.