તેલંગણામાં 1 જુલાઈથી સ્કૂલ અને કોલેજો શરુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તેલંગણામાં 1 જુલાઈથી સ્કૂલ અને કોલેજો શરુ થશે
કોરોનાની બીજી લહેર નબળી પડતા રાજ્ય સરકારે લીધો નિર્ણય
રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાનો રાબેત મુજબ ચાલુ થશે
મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટે તમામ વિભાગના અધિકારીઓને રાજ્યમાં લોકડાઉન દરમિયાન લગાડવામા આવેલા તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. આ હેઠળ હવે 1 જુલાઈથી રાજ્યની તમામ સ્કૂલો અને કોલેજો ચાલુ થઈ જશે.
કેબિનેટે શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે કે 1 જુલાઈથી પૂરી તૈયારી સાથે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરુ કરી દેવામાં આવે તથા વિદ્યાર્થીઓને ક્લાસમાં આવવાની પરમિશન આપવામાં આવે.
આવતીકાલથી નાઈટ કર્ફ્યુ સહિતના તમામ પ્રતિબંધો હટી જશે
કોરોનાની બીજી લહેર ખૂબ નબળી પડતા તેલંગાણા સરકારે રાજ્યને સંપૂર્ણપણે ઓપન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આદેશ બાદ આજથી રાજ્યમાં લાગુ કોરોનાના તમામ પ્રતિબંધો હટી ગયા છે. આખા રાજ્યમાંથી લોકડાઉન ઉઠાવનાર તેલંગાણા દેશનું પહેલું રાજ્ય બન્યું છે.
રાજ્યમાં બીજી લહેર અત્યંત નબળી પડી એટલે લોકડાઉન હટાવાયું
ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવ દ્વારા બોલાવેલી કેબિનેટની બેઠકમાં લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો હતો. સીએમઓની ઓફિસ દ્વારા ફેસબુક પર એવું જણાવાયું કે રાજ્ય સરકારે લોકડાઉન સંપૂર્ણપણે હટાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કેસોની સંખ્યા, પોઝિટીવિટીની ટકાવારીમાં મોટો ઘટાડો થયો હોવાનો મેડિકલ ઓથોરિટીના રિપોર્ટની ચકાસણી કર્યા બાદ તથા રાજ્યમાં કોરોના સંપૂર્ણપણે કાબમાં આવ્યો હોવાથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવાયો છે,