તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગુરુવારે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં એકવાર બિનઅનામત વર્ગો માટેનું 10 ટકા આર્થિક પછાત અનામત લાગૂ થઇ જશે તેના પછી રાજ્યમાં કુલ અનામતનો ક્વોટા વધીને 60 ટકા જેટલો થઇ જશે.
ભાજપના નેતાએ કરી હતી ટીકા
કે ચંદ્રશેખર રાવની સરકારે કર્યો મોટો નિર્ણય
તેલંગાણામાં 10 ટકા EWS લાગૂ કરવામાં આવી
મહત્વનું છે કે તેલંગાણાની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગોમાં માટેનું 10 ટકા અનામત લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને રાજ્યમાં હવે કુલ અનામતની મર્યાદા વધીને 60 ટકા જેટલી થઇ જશે જે પહેલાથી જ 50 ટકા જેટલી છે.
મુખયમંત્રી રાવ આગામી અમુક દિવસોમાં કરશે રિવ્યુ મિટિંગ
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ આ મુદ્દે આગામી બે કે ત્રણ દિવસોની અંદર એક હાઈ લેવલ રિવ્યુ મિટિંગ કરીને રાજયના અધિકારીઓની સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને આ અનામત લાગૂ કરવાના નિર્દેશ આપશે.
આમ રાજ્યના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે એક નિવેદનમાં જણાવ્યું હતું, કે રાજ્યના બિન અનામત વર્ગોને આર્થિક રીતે પછાત અનામતનું 10 ટકા રિઝર્વેશન આપવું જરૂરી છે અને આ અનામત હાલમાં પહેલાથી જ અમલી રહેલા તમામ અનામતની સાથે જ લાગૂ કરવામાં આવશે. અમે બેકવર્ડ ક્લાસીસ માટે પહેલાથી જ રાજ્યમાં 50 અનામતની વ્યવસ્થા ધરાવીએ છીએ, અને હવે કુલ અનામતનો ક્વોટા વધીને 60 ટકા સુધી પહોંચી જશે.
ભાજપે કરી હતી સરકારની નિંદા
મહત્વનું છે કે હજુ એક દિવસ પહેલા બુધવારે તેલંગાણા ભાજપના નેતા નલ્લુ ઇંદ્રસેના રેડ્ડીએ રાજ્યમાં બિન અનામત વર્ગો માટેનું 10 ટકા અનામત લાગૂ ના કરી શકવાના લીધે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સરકાર સવર્ણ સમુદાયના ગરીબ લોકોને અનામતનો કોઈ જ લાભ આપઇ શકવામાં નિષ્ફળ નીવડી છે, જેના પછી તેલંગાણા સરકારે આ મુદ્દે નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.