દેશભરમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે 3 મે સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેલંગાણા સરકારે તેને 7 મે સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઇને કેસીઆર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તેલંગાણામાં 7 મે સુધી લૉકડાઉન વધારી દીધું છે અને તે 8 મે એ પૂર્ણ થશે.
તેલંગાણામાં 7 મે સુધી લૉકડાઉન વધારી દીધું છે અને તે 8 મે એ પૂર્ણ થશે
તેલંગાણામાં અત્યાર સુધીમાં વિદેશથી પરત આવેલા માત્ર 64 લોકો જ કોરોના પોઝિટિવ
રાજ્ય સરકારની તફરથી બતાવવામાં આવ્યું છે કે તેલંગાણામાં અત્યાર સુધીમાં વિદેશથી પરત આવેલા માત્ર 64 લોકો જ કોરોના પોઝિટિવ છે. હવે અમે લોકો દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં સામેલ થયેલા જમાતીઓની યાત્રાનો ઇતિહાસની તપાસ કરી રહ્યા છે.
રાજ્ય સરકારની તરફથી લૉકડાઉનના વધારવામાં આવેલા નિર્ણયને લઇને કહેવામાં આવ્યું છે કે અમે એ સુનિશ્ચિત કરીશું કે તેને આખા તેલંગાણામાં કડક રીતે લાગૂ કરી શકાય. આ ઉપરાંત તેલંગાણા સરકારે રાજ્યમાં ઓનલાઇન ફૂડ સર્વિસ આપનારી કંપની ઝોમેટો, સ્વીગી અને પિઝ્ઝા ડિલીવરીને પણ પૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણયને લઇને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે જો આપણે પિઝ્ઝા નહીં ખાઇએ તો મરી નહીં જઇએ. તેઓએ કહ્યું કે રમઝાન દરમિયાન પણ કોઇ છૂટ આપવામાં આવશે નહીં અને તમામને લૉકડાઉનનું કડક રીતે પાલન કરવું પડશે.
તેલંગાણા સરકારે કહ્યું કે 5 મેએ કેબિનેટ મીટિંગમાં સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવશે. કેસીઆરે કહ્યું કે અમે એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન શરૂ કરી ન કરી શકીએ. આટલું જ નહીં અમે સ્વીગી, ઝોમેટો અને પિઝ્ઝીની ડિલીવરી પર પણ રોક લગાવી રહ્યા છીએ.