તેલંગણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે શનિવારે ઘોષણા કરી છે કે, સરકાર આગામી અઠવાડીયાથી શિક્ષણ અને રોજગારમાં અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં રહેલા 6 ટકાથી વધારીને 10 ટકા કરી દેશે.
તેલંગણા સરકારની મોટી જાહેરાત
આદિવાસી સમાજ માટે કરી મોટી જાહેરાત
શિક્ષણ અને રોજગારમાં 10 ટકા અનામત આપ્યું
તેલંગણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે શનિવારે ઘોષણા કરી છે કે, સરકાર આગામી અઠવાડીયાથી શિક્ષણ અને રોજગારમાં અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં રહેલા 6 ટકાથી વધારીને 10 ટકા કરી દેશે. તેમણે આ ઘોષણાની સાથે સાથે સરકાર ભૂમિહીન એસટી સમુદાયના પરિવારને ટૂંક સમયમાં ગિરિજન બંધૂ યોજના લાગૂ કરશે. જે અંતર્ગત પોડુ ભૂમિ (જંગલની ખેતી લાયક જમીન) પર પાત્ર આદિવાસીઓને માલિકીનો હક આપશે. દલિત બંધૂ બરાબર, દરેક આદિવાસી પરિવારને 10 લાખ રૂપિયાની સહાય મળશે. રાવે કહ્યું કે, અમે ખેતીલાયક જમીનના મુદ્દાને હલ કરીને તમામ જિલ્લામાં સમન્વય સમિતિ બનાવી છે. તમામ પાત્ર પરિવારને પોડુ ભૂમિ પર માલિકી અધિકાર મળશે. મેં મુખ્ય સચિવને ભૂમિહીન આદિવાસીઓની યાદી આપવા માટે કહ્યું કે, જેમને ગિરિજન બંધુ યોજનામાં સામેલ કરવામાં આવશે.
NTR સ્ટેડિયમમાં આયોજીત તેલંગણા આદિવાસી વણઝારા આત્મીય સભામાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, મેં લાબા સમય સુધી રાહ જોઈ. મારા માટે હવે રાહ જોવી અઘરુ છે, આ કારણે મેં એસટી સમુદાયને 10 ટકા કોટા લાગૂ કરી દીધું છે. મુખ્યમંત્રી રાવે કહ્યું કે, હું 5 વર્ષથી વધારે સમયથી અનુસૂચિત જનજાતિ સમુદાય માટે 10 ટકા અનામત માટે પીએમ મોદીને વારંવાર રજૂઆત કરતો રહ્યો. જો કે, કેન્દ્રની મંજૂરીની હવે હું વધારે રાહ જોઈ શકું નહીં. રાવે પીએમ મોદીને કહ્યુ કે, તેઓ શું આ ઓર્ડરને લાગૂ કરશે કે પછી તેમાં અવરોધો ઉભા કરશે. તેલંગણા વિધાનસભામાં પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિધેયક 2017ને પાસ કર્યું છે, જેમાં BCE કેટેગરી અંતર્ગત એસટી સમુદાય માટે અનામતને 6 ટકાથી વધારીને 10 ટકા કરી દીધું છે અને મુસ્લિમો માીટે 4 ટકાથી વધારીને 12 ટકા કરી દીધું છે.