8 ઓગસ્ટના દિવસે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની મોટી બેઠક મળી રહી છે જેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રિત કરાયા છે .
8 ઓગસ્ટે પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની મોટી બેઠક
બિહારના સીએમ નીતિશ કુમાર અને તેલંગણાના કેસીઆર રાવ બેઠકમાં ભાગ નહીં લે
નીતિશ કુમારે બીજી વાર બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો
કેસીઆર રાવે પણ લેટર લખીને કહ્યું, બેઠકમાં જવું નકામું
8 ઓગસ્ટે યોજનારી પીએમ મોદીની મોટી બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમાર અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવે ભાગ ન લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. નીતિશ કુમાર કોરોનાથી સાજા થયા છે તેને કારણે તેમણે પીએમની બેઠકમાં દૂર રહેવાનું પસંદ કર્યું હોવાનું કહેવાય છે પરંતુ હકીકત કંઈક અલગ હોઈ શકે.
CM Telangana KCR, penning letter to PM Modi for not joining 7th governing council meeting of NITI Aayog, has expressed anguish against center, for states not being given "flexibility to design & modify schemes based on their needs & conditions to ensure maximum benefit to people" pic.twitter.com/jz3XQI8Wdb
તાજેતરમાં તેઓ એનડીએથી દૂર જઈ રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. તેઓ એનડીએથી નારાજ હોવાનું પણ કહેવાય છે તેથી તેમણે પીએમની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાની પણ નીતિ આયોગની બેઠકમાં નીતિશ કુમારે ભાગ લીધો નહોતો.
તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવ પણ બેઠકમાં હાજર નહીં રહે
નીતિશ કુમારની ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવે પણ પીએમની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. રાવે એક લેટર લખીને આ નિર્ણય જાહેર કર્યો હતો. લેટરમાં તેમણે લખ્યું કે નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજર રહેવાનો નથી. તેમણે કેન્દ્ર સરકાર પર ગુસ્સો જાહેર કરતા લખ્યું કે લોકોને વધારેમાં વધારે લાભ મળે એટલે રાજ્યોને તેમની જરુરિયાત અને સ્થિતિને આધારે યોજનાઓ સુધારવાની કે તેને ફરી વાર બનાવવાની આઝાદી નથી આપવામાં આવી રહી.
બેઠક નકામી છે- સીએમ કેસીઆર રાવ
કેસીઆર રાવે એવું પણ કહ્યું કે બેઠકમાં જવાનો કોઈ અર્થ નથી. કારણ કે રાજ્યોને પૂરતી સ્વતંત્રતા તો નથી આપવામાં આવી.
Telangana CM K Chandrasekhar Rao to skip August 7 NITI Ayog meeting; says it is not useful
8 ઓગસ્ટે પીએમ મોદીની આગેવાનીમાં દિલ્હીમાં નીતિ આયોગની મોટી બેઠક
ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટે દિલ્હીમાં પીએમ મોદીની આગેવાનીમાં નીતિ આયોગની મોટી બેઠક થવા જઈ રહી છે. બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ હવે સીએમ ચંદ્રશેખર રાવે બેઠકનો સીધો બહિષ્કાર કર્યો છે.