મુખ્યમંત્રી દ્વારા મીડિયા પર આરોપ લગાડવામાં આવ્યો છે કે કોરોનાને લઈ મીડિયાવાળા ખોટી જાણકારી આપી રહ્યું છે અને જેના કારણે લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. આટલું બોલતા તેઓ અટક્યાં નહીં અને બોલ્યા કે હું તો માત્ર પેરાસીટેમોલ અને બીજી એન્ટીબાયોટિક દવાઓ લઈને જ સરખો થઈ ગયો.
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ આ વર્ષે જ એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા
મીડિયાના લોકો સામન્ય પ્રજાને ડરાવી રહ્યા છે
હું કહું છું કે આ લોકોને શ્રાપ લાગશે
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ આ વર્ષે જ એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ આ વર્ષે જ એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા હતા. તેમના જણાવ્યા અનુસાર માત્ર બે દવા લીધા બાદ માત્ર બે અઠવાડિયામાં જ તેઓ સરખા થઈ ગયા હતા. વારંગલમાં એક કાર્યક્રમમાં ભાષણ દરમ્યાન તેમણે આ વાત કહી હતી. ભાષણમાં તેમણે કહ્યું કે " ખબર નથી કે કોણ બ્લેક ફંગસ, યલો ફંગસ વિશે ખોટી જાણકારીઓ ફેલાવી રહ્યું છે. ખબર નહીં કોઈ ટીવી ચેનલ દ્વારા આ કહેવામાં આવ્યું છે કે પછી કોઈ ન્યૂઝપેપર દ્વારા. ખબર નહીં આ ફંગસ જીવતું છે કે પછી મરી ગયું, લોકોતો આવી બધુ સાંભળીને જ મરી રહ્યા છે. આ બધા ટીવીના લોકો, હું કહું છું કે આ લોકોને શ્રાપ લાગશે.
મીડિયાના લોકો સામન્ય પ્રજાને ડરાવી રહ્યા છે
આટલું બધુ બોલ્યા બાદ પણ તેઓ અટક્યાં નહીં, તેમણે મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે મીડિયા લોકોને ખોટી જાણકારી ના આપવાના નિયમ વિરુદ્ધ કામ કરી રહી છે. પોતાના કોરોનાના અનુભવને યાદ કરતાં તેમણે કહ્યું કે ડૉક્ટર પાસેથી માત્ર બે દવાઓ મળી અને માત્ર એક જ અઠવાડિયામાં હું સ્વસ્થ થઈ ગયો. આગળ તેમણે કહ્યું જે મીડિયાના લોકો સામન્ય પ્રજાને ડરાવી રહ્યા છે. આવી રીતે બિનજરૂરી વાતો ફેલાવવાની ક્યાં જરૂર છે?
હું કહું છું કે આ લોકોને શ્રાપ લાગશે
તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાનીન સ્થિતિ અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને લઈને પણ મીડિયાને ખરી ખોટી કહી. તેમણે કહ્યું કે મીડિયા હકીકતમાં સાચી ઘટનાઓ ખોટી રીતે બતાવી રહી છે. તેમણે કહ્યું જે શું સામન્ય દિવસોમાં પણ સરકારી હોસ્પિટલોમાં જગ્યા મળે છે ખરી? ડોકટર પણ ક્યારેય દર્દીઓના ઈલાજ માટે ના નથી પાડતા, કારણકે તેમેને ખ્યાલ છે કે માત્ર ગરીબ જ લોકો આ હોસ્પિટલોમાં સારવાર માટે આવે છે. એટલે જ્યારે બેડ નથી હોતા ત્યારે જ તેઓ જમીન પર સારવાર લેવાનું કહે છે. પણ આ મીડિયાના લોકો શું કરે છે? તેઓ માત્ર ફોટા ખેંચે છે અને પછી કહે છે કે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જમીન પર સૂવું પડે છે.