બિન ભાજપા અને કોંગ્રેસ સંઘીય મોર્ચો બનાવવાના મિશન પર તેલંગાણાના રાષ્ટ્ર સમિતિ (TRS)ના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR) કામ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર આ ખાસ પ્રકારના રાજનીતિક હિતોને સાધવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી કે. ચંદ્રશેખર રાવ ક્ષેત્રીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. કેરળના પોતાના સમક્ષ પિનરાઇ વિજયનની એમણે સોમવારે મુલાકાત લીધી હતી.
બિન ભાજપા અને કોંગ્રેસ સંઘીય મોર્ચો બનાવવાના મિશન પર તેલંગાણાના રાષ્ટ્ર સમિતિ (TRS)ના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR) કામ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર આ ખાસ પ્રકારના રાજનીતિક હિતોને સાધવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી કે. ચંદ્રશેખર રાવ ક્ષેત્રીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. કેરળના પોતાના સમક્ષ પિનરાઇ વિજયનની એમણે સોમવારે મુલાકાત લીધી હતી. અહીં રાવે '1996 ફોર્મ્યૂલા' ના આધારે કોંગ્રેસ અને ભાજપ વિના ત્રીજો મોરચો બનાવવા વિશે ચર્ચા કરી. કેસીઆર, ગત કેટલાક વર્ષોથી ત્રીજા મોર્ચા માટે ચર્ચિત ચહેરો બની રહ્યા છે. કેસીઆર કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી જેવા કોંગ્રેસ સહયોગીઓ સાથે પણ સંપર્ક કરી રહ્યા છે. જેમની સાથે રાવે સોમવારે વાતચીત કરી હતી. ઉપરાંત 13 મે દ્રુમક અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનની પણ મુલાકાત લેશે. લોકસભાના ચૂંટણી પરિણામની તારીખ નજીક આવી રહી છે, એમ કેસીઆર પોતાના પ્રયાસમાં લાગી ગયા છે.
કેરળમાં લેફ્ટ સરકારના નેતૃત્વ કરી રહેલી વિજયન સરકાર સાથે બેઠક દરમિયાન કેસીઆરે તેમને 'દક્ષિણ ભારતથી વડાપ્રધાન'નો પ્રસ્તાવ આપ્યો. જોકે એમણે આ માટે કોઇનું નામ નથી લીધું. જોકે '1996 ફોર્મ્યૂલા' બહુ સફળ રહ્યું નહોતું. 1990ના દાયકાના અંતમાં, અસ્થિર ગઠબંધનોના પ્રમુખ રૂપે સત્તારૂઢ ત્રણ પ્રધાનમંત્રીની સરકાર કેટલાક દિવસોમાં જ પડી ભાંગી હતી.
તેલંગાણાના મુખ્યમંત્રીએ વિજયનને સાથે એ પણ યાદ કરાવ્યું છે કે કેરળના વાયનાડમાં ભાજપે ઉમેદવાર ના ઉતારવા છતા રાહુલ ગાંધીએ ત્યાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. જેનું કારણ અહીં ભાજપાની સહયોગી પાર્ટી ભારત ધર્મ જન સેનાએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સૂત્રો જણાવે છે કે કેસીઆરનું આકલન છે કે 'ન તો ભાજપ અને ન કોંગ્રેસ પોતાના વર્તમાન સહયોગીઓ સાથે સરકાર બનાવવામાં સફળ રહેશે' વિજયને કેસીઆરને કહ્યું કે સીપીએમનું કેન્દ્રીય નેતૃત્વ 23 મે તેનો નિર્ણય લેશે. બેઠક બાદ એમ કે સ્ટાલિન અને કેસીઆરની ઉત્તર અને પૂર્વી ભારતની યાત્રા કરવાનો પ્લાન છે. કેસીઆરે સૌથી પહેલા લેફ્ટનો સંપર્ક કર્યો છે.
જોકે, રાવે ખુદને ભાજપ અને કોંગ્રેસની સમકક્ષ બતાવ્યા છે. પરંતુ ઘણીવાર રાવે સત્તારૂઢ પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિભિન્ન મુદ્દા પર સમર્થન કરતા જોવા મળ્યા છે. કોંગ્રેસે કેસીઆરની તેલંગાણા રાષ્ટ્ર સમિતિને ભાજપાની 'બી ટીમ' કહી છે. સાથે કોંગ્રેસે કહ્યું હતું કે તેમના પ્રયાસથી ભાજપને ફાયદો મળશે.
રાવ ગત વર્ષે પણ ડીએમકે સમક્ષ પોતાના વિચાર જણાવ્યા હતા અને પાર્ટીના સંરક્ષક એમ કરૂણાનિધિ અને પુત્ર સ્ટાલિન સાથે પણ મુલાકાત કરી હતી. કરૂણાનિધિનું ગત વર્ષે નિધન થઇ ગયું હતું. ગત વર્ષે કેસીઆરે ઉત્તર અને પૂર્વી રાજ્યોની મુલાકાત લીધી, બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓડિશામાં નવીન પટનાયક સાથે તેમણે મુલાકાત લીધી હતી. સપા પ્રમુખ અખિલેશ અને બસપા સુપ્રીમો માયાવતીની મુલાકાત કરી તે દિલ્હી આવ્યા હતા, પરંતુ તેમની સાથે મુલાકાત થઇ શકી નહોતી.