તેલંગણાના યાદાદ્રી-ભોંગિર જિલ્લાના મંદિર નગર યાદગિરિગુટ્ટામાં શુક્રવારે એક ઈમારતની છત પડવાથી ચાર લોકોના મોત થઈ ગયા હતા.
તેલંગણામાં મોટી દુર્ઘટના
ઈમરાતની છત પડતા ચાર લોકોના મોત
અન્ય એક શખ્સ ઘાયલ થયો
તેલંગણાના યાદાદ્રી-ભોંગિર જિલ્લાના મંદિર નગર યાદગિરિગુટ્ટામાં શુક્રવારે એક ઈમારતની છત પડવાથી ચાર લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે અન્ય એક ઘાયલ થઈ ગયો હતો. આ જાણકારી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું હતું કે, લગભગ 20 વર્ષ જૂની આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન અને પહેલા માળે રહેણાંક હતું.
નીચે બેઠેલા લોકો પર પડી છત
યાદગિરિગુટ્ટા હૈદરાબાદથી લગભગ 60 કિમી દૂર છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઈમારતની છત નીચે બેઠેલા ચાર લોકો પર પડી હતી. દુર્ઘટનામાં આ ચારેય લોકોના ત્યાંને ત્યાં જ મોત થઈ ગયા હતા. પોલીસે આગળ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
तेलंगाना: यदाद्री-भुवनगिरी ज़िले में शुक्रवार शाम को एक पुरानी इमारत के गिरने से 4 लोगों की मृत्यु हो गई।
तेलंगाना के राज्यपाल ने लोगों की मृत्यु पर दुख व्यक्त किया और ज़िला अधिकारियों को घायलों को सर्वोत्तम चिकित्सा उपलब्ध कराने के निर्देश दिए हैं। pic.twitter.com/wSSKgPIVVa
પોલીસના જણાવ્યા અનુસાર તેમને શંકા છે કે, આ ઘટનાનું કારણ ખરાબ ક્વોલિટીનું બાંધકામ છે. તેલંગણાના રાજ્યપાલે લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને જિલ્લા અધિકારીઓએ ઘાયલ લોકોને સુવિધા આપવાના નિર્દેશ આપ્યા છે.