તેલંગાણામાં પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ કે ચંદ્રશેખર રાવે આજનાં ગુરૂવારનાં રોજ મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા છે. તેલંગાણા રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં પાર્ટી નેતાઓની હાજરીમાં જ તેઓએ શપથ ગ્રહણ કર્યા છે.
શપથ ગ્રહણ સમારોહ બાદ ધારાસભ્યોનાં દળની બેઠક પણ યોજાશે કે જ્યાં ધારાસભ્ય કેસીઆરને પોતાનાં નેતા પસંદ કરશે. તેલંગાણામાં 7 ડિસેમ્બરનાં રોજ થયેલી ચૂંટણીમાં 119 સભ્યોની વિધાનસભામાં TRSને 88 સીટો હાંસલ થયેલ છે.
આ વખતે TRSએ રાજ્યમાં એકલાં જ ચૂંટણી લડ્યાં હતાં. તેઓની વિરૂદ્ધ કોંગ્રેસ-ટીડીપી-વામદળોનું મજબૂત ગઠબંધન ઉભું હતું છતાં પણ કેસીઆરનાં પવન સામે તેઓ ટકી ન શક્યાં. આ સિવાય TRS સમર્થક અસરૂદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ પણ હૈદરાબાદમાં જોરદાર પ્રદર્શન કર્યું.
સીએમ કેસીરાવે સમયથી 9 મહીના પહેલા જ વિધાનસભા ચૂંટણીને લઇને જબરદસ્ત ખેલ ચલાવ્યો હતો કે જે સંપૂર્ણ રીતે સફળ રહ્યો. પાર્ટીએ પ્રચંડ બહુમત હાંસલ કરતા બાકી દળોને તો ધકેલી દીધાં.
Hyderabad: #Visuals from Raj Bhavan of the oath ceremony of K Chandrasekhar Rao as the Chief Minister of Telangana pic.twitter.com/P1LHu3jCAd