તેલંગાણા સરકારે સોમવારે પોતાના તમામ કર્મચારીઓ, નોકરશાહો અને જનપ્રતિનિધિઓના વેતનમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કોરોના વાયરસથી રાજ્યમાં નાણાકીય સંકટ ઉભુ થવાને કારણે લેવાયું છે. વાયરસે અત્યાર સુધીમાં રાજ્યમાં 77 લોકોને પ્રભાવિત કર્યા છે.
તેલંગાણા સરકારે કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી
કોરોના વાયરસથી રાજ્યમાં નાણાકીય સંકટ ઉભુ થવાથી લેવાયો નિર્ણય
વેતન આ ઘટાડો લઘુત્તમ 10 ટકાથી લઇને મહત્તમ 75 ટકા સુધી કરાશે. આ નિર્ણય મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ દ્વારા પોતાના કેમ્પ કાર્યાલય પ્રગતિ ભવનમાં બોલાવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો. જેમા રાજ્યની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરાઇ.
મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મુખ્યમંત્રી, તેમના કેબિનેટ સાથીઓ, ધારાસભ્યો, વિધાનસભા પરિષદ સદસ્ય, વિભિન્ન રાજ્ય સ્તરીય નિગમોના અધ્યક્ષ અને શહેરી અને ગ્રામીણ સ્થાનીય એકમના પ્રતિનિધિઓના વેતનમાં 75 ટકાનો ઘટાડો કરાશે.
આઇએએસ, આઇપીએસ અને આઇએફએસમાં સામેલ તમામ ભારતીય સેવા અધિકારીઓના વેતનમાં 60 ટકાનો ઘટાડો કરાશે. જોકે, એ વાતની કોઇ સ્પષ્ટતા નથી કરાઇ કે વેતનમાં ઘટાડો ક્યાં સુધી લાગૂ રહેશે. શિક્ષકો, ગેઝેટેડ અને નૉન ગેઝેટેડ કાર્યાલયો સહિત રાજ્ય સરકારના અન્ય તમામ વર્ગના કર્મચારીઓના વેતનમાં 50 ટકાનો ઘટાડો થશે.
એક નિવેદમાં કહેવામાં આવ્યું છે કે ચોથા વર્ગના કર્મચારીઓ જેવાકે પટાવાળા, સફાઇકર્મી અને ડ્રાઇવર તથા આઉટસોર્સ, કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં 10 ટકાનો ઘટાડો કરાશે. આ ઉપરાંત રાજ્યના સેવા નિવૃત્ત લોકોને પણ નહીં છોડવામાં આવે. સેવા નિવૃત કર્મચારીઓના તમામ વર્ગના પેન્શનમાં 50 ટકાનો ઘટાડો કરાશે.
જ્યારે સેવાનિવૃત ચોથા વર્ગના કર્મચારીઓના પેન્શનમાં 10 ટકાનો ઘટાડો થશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રના તમામ ઉપક્રમોમાં કામ કરનાર કર્મચારીઓ અને સરકારી ગ્રાન્ટથી કામ કરનારા કર્મચારીઓના વેતનમાં પણ ઘટાડો કરાશે.
તેલંગાણા ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્યમંત્રીથી લઇને ધારાસભ્યો અને અન્ય સરકારી કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.