પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભામનાં શતાબ્દી સ્મૃતિ સ્તંભના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે પટના પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી મોદી બિહારના પટનામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા
આ દરમિયાન ત્યાં બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ હાજર હતા
પીએમ મોદીની હાજરીમાં ભાષણ આપતી વખતે નર્વસ થયા તેજસ્વી યાદવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભામનાં શતાબ્દી સ્મૃતિ સ્તંભના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે પટના પહોંચ્યા હતા. આ અવસર આયોજીત એક કાર્યક્રમમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણ, મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હા તથા વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દેશના પ્રધાનમંત્રીની સામે આરજેડી નેતા તેજસ્વી યાદવ પોતાના ભાષણ દરમિયાન થોડા નર્વસ દેખાતા હતા. સમારંભમાં વિધાનસભા અધ્યક્ષ વિજય સિન્હાએ સ્વાગત ભાષણ બાદ બીજા નંબર તેજસ્વી યાદવને બોલાવ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી લેખિત ભાષણ વાંચી રહ્યા હતા, આ દરમિયાન સૌની નજર તેમના પર અચકાતા અચકાતા આપી રહેલા ભાષણ પર પડી. જ્યાં યાદવ થોડા નર્વસ દેખાઈ રહ્યા હતા.
आदरणीय प्रधानमंत्री जी,
इसी प्रांगण में हम जननायक कर्पूरी ठाकुर जी की आदमक़द प्रतिमा के बगल में बैठे है। हमारी माँग है कि कर्पूरी जी को भारत रत्न देकर इस शताब्दी वर्ष समारोह एवं देश के किसी भी प्रधानमंत्री के बिहार विधानसभा में प्रथम आगमन को और अधिक यादगार बनाने की कृप्या करें। pic.twitter.com/kRsDCzBRHM
તેજસ્વી યાદવે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે અહીં વિધાનસભા પરિસરમાં શતાબ્દી સમારંભમાં પોતાનું સંક્ષિપ્ત સંબોધનમાં આ માગ કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમે મોદીને આગ્રાહ કર્યો હતો કે, બિહારમાં વિધાયી કામકાજના અધ્યયનમાં એક સ્કૂલ ખોલવામાં આવે જ્યાં વૈશાલીમાં દુનિયાની સૌથી જૂની ગણરાજ્ય રહ્યું છે.
माननीय प्रधानमंत्री जी,
हमारे राज्य के वैशाली से ही लोकतंत्र बाकी जगहों पर प्रसारित हुआ। अतः School of Democracy & Legislative Studies जैसी एक संस्था बिहार में स्थापित हो। जिसके माध्यम से विधायी और लोकतंत्र के विभिन्न पहलुओं पर शोध एवं अध्ययन के अवसर और प्रशिक्षण दिया जा सके। pic.twitter.com/ySIEO3ZEff
તેજસ્વીએ કહ્યું કે, તેમને આશા છે કે, પ્રધાનમંત્રી અમારી માગને પુરી કરશે. તો વળી આપને જણાવી દઈએ કે, મોદીની સાથે મંચ પર બેઠેલા તેજસ્વી યાદવે ભાષણ દરમિયાન 4 મિનિટનો સમય મળ્યો હતો. ભાષણ આપતી વખતે તેઓ વારંવાર અચકાઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાષણ દરમિયાન વિપક્ષના નેતા તણાવમાં હોવાનું કહેવાય છે. તેજસ્વી પોતાના 4 મિનિટના ભાષણમાં 5 વાર અચકાયા હતા.