બિહારમાં નવી સરકારનું ગઠન થયા બાદ મહત્વના પદ પર બેઠેલા લાલૂના પુત્ર તેજસ્વી યાદવે મંત્રીઓને સાદગી અપનાવવા અને લોકોની જાતિ-ધર્મ ભૂલી મદદ કરવા માટે નિર્દેશો આપ્યા છે.
બિહારમાં નીતિશની આગેવાનીમાં નવી સરકારનું ગઠન થયું
મંત્રીઓને વિભાગોની વહેંચણી પણ થઈ, જો કે RJDના અમુક મંત્રીઓ પર સવાલ ઉઠ્યા
તેજસ્વી યાદવે સાફ છબી અપનાવવી અને કામ સુધારવાના આદેશ આપ્યા
બિહારમાં નીતિશ સરકારના નેતૃત્વમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યા બાદથી આરજેડી કોટામાંથી મંત્રી વિવાદોમાં આવ્યા છે. મંત્રીઓની છબી સુધારવા માટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તેજસ્વીએ આરજેડીના મંત્રીઓને કહ્યું કે, કોઈ પણ નવી ગાડી ખરીદશે નહીં અને સાથે જ કોઈ પણ કાર્યકર્તાઓને પગ પાડી ચરણસ્પર્શન કરાવશે નહીં. સાથે જ તેમણે ઈમાનદાર રહેવા અને શાલીન વ્યવહાર કરવાની સલાહ આપી દીધી છે.
ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે શનિવારે પોતાની પાર્ટીના મંત્રીઓ માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમાં કહેવાયુ છે કે, આરજેડી કોટાના મંત્રીઓ પોતાના વિભાગ માેટ નવી ગાડીઓ ખરીદશે નહીં, સાથે જ ઉંમરમાં તેમના મોટા કાર્યકર્તા, સમર્થકો અને કોઈ શખ્સ ચરણસ્પર્શ કરવા દેવામાં આવશે નહીં. લોકોએ મળતી વખતે શિષ્ટાચાર અથવા હાથ જોડીને નમસ્તેની પરંપરાને આગળ વધારવી.
તેજસ્વીએ કહ્યું કે, તમામ મંત્રી સૌમ્ય અને શાલીન વ્યવહાર અપનાવે. સાદગીથી તમામ જાતિ અને ધર્મના લોકોની મદદ કરે. કોઈ પણ ભેંટ સ્વરૂપે બુકે અથવા ફુલની જગ્યાએ પુસ્તકો અને કલમ આપવાના કલ્ચરને વિકસાવે.
મંત્રીઓને ઈમાનદારી દાખવવા માટે સલાહ અપાઈ
આરજેડી મંત્રીઓને ભ્રષ્ટાચાર સહિત અન્ય ગુનાહિત કેસમાં વિવાદોમાં આવ્યા બાદ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે તમામને ઈમાનદારી દાખવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તમામ મંત્રી પોતાના વિભાગીય કાર્યોમાં ઈમાનદારી, પારદર્શિતા, તત્પરતા અને તુરંત એક્શનની કાર્યશૈલીને પ્રોત્સાહન આપે. સાથે જ પોતાના વિભાગની યોજનાઓ અને કાર્યોને સોશિયલ મીડિયા પર સતત પ્રચાર પ્રસાર કરે.
વિવાદોમાં આરજેડીના મંત્રી
નવી સરકારના ગઠન બાદ નીતિશ કેબિનેટમાં આરજેડી કોટાના મંત્રી વિવાદોમાં છે. કાયદા મંત્રી કાર્તિકેય સિંહ પર અપહરણ કેસમાં સરેન્ડર કરવાની જગ્યાએ રાજભવનમાં જઈને શપથ લેવાનો આરોપ લાગ્યો છે. વિપક્ષે કૃષિ મંત્રી સુધાકર સિંહને ચોખા ગાયબ કરવાનો જૂના કેસનો મુદ્દો બનાવ્યો છે. તો વળી શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને એરપોર્ટ પર કારતૂસ લઈ જવાના જૂના કેસ મામલે ઘેરાવ કર્યો છે. હાલમાં જ સહકારિતા મંત્રી સુરેન્દ્ર યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં લાઈવ પ્રેસ કોન્ફ્રેંસમાં ગાળો આપતા દેખાયા હતા.