બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે RJDના નેતા તેજસ્વી યાદવ પોતે પરિપક્વ નેતા તરીકે પોતાની છવી રાખવા માંગે છે.
બિહારમાં વિધાનાસભા ચૂંટણીના પરિણામો આવવાના શરુ
શરૂઆતી વલણમાં મહાગઠબંધન આગળ પણ NDA આપી રહ્યું છે ટક્કર
તેજસ્વી યાદવે નેતાઓને ધીરજ રાખવા તથા પીએમ મોદી વિશે કંઈ ન બોલવા આપી સલાહ
બિહારમાં હાલમાં મતગણતરી ચાલી રહી છે અને શરૂઆતી વલણમાં તેજસ્વી યાદવ આગળ નીકળી ગયા છતાં યુવાન નેતા પોતાના નેતાઓને શાંત રહેવા સલાહ આપી રહ્યા છે. થોડા જ કલાકોમાં સ્પષ્ટ પરિણામ આવી જશે ત્યારે તેજસ્વી પોતાની છવી સારી રાખવા માટે પોતાના જ નેતાઓને ધીરજ રાખવા સલાહ આપી રહ્યા છે.
તેજસ્વી યાદવે પોતાના ઘરની બહાર ઉભા નેતાઓને મતગણતરી શરુ થતાં પહેલા બોલાવ્યા અને કહ્યું કે કોઈ પણ નેતા વડાપ્રધાન મોદી સામે કોઈ જ અપશબ્દોનો ઉપયોગ નહીં કરે. તેમણે કહ્યું કે મેં જોયું કેટલાય નેતાઓ કેમેરા પર પીએમ મોદી સામે બોલી રહ્યા છે જે ઠીક નથી અને નેતાઓ સામે કાર્યવાહી કરી શકાય છે .
તેજસ્વી યાદવ આ ચૂંટણીમાં ખૂબ આક્રમક દેખાયા હતા ત્યારે તેજસ્વી જાણે પોતાના પર લાગતા જંગલરાજના આરોપથી બચવા માટે કામ કરી રહ્યા છે અને આજ કારણ છે કે પોતે ભલે યુવાન હોય પરંતુ તે પરિપક્વ નેતા તરીકે પોતાની છવી રાખવા માંગે છે. તેજસ્વી યાદવે આ પહેલા પણ નેતાઓને સલાહ આપી હતી કે કોઈ હંગામો નહીં કરે. તેમણે સલાહ આપી હતી કે જીત થાય તો પણ આતશબાજી નહીં થાય અને ચૂંટાઈ હારી જઈએ તો પણ કોઈ જ હંગામો નહીં થાય.