લખનઉ જંક્શન પર ગુરુવારે રાતે કૃષક એક્સપ્રેસના બે કોચ ડિરેલ હોવાના કારણે શુક્રવારે સવાર સુધી ટ્રેનનું સંચાલન અસ્તવ્યસ્ત થયું હતું. જેના કારણે પહેલી વાર નવી દિલ્હી જનારી 82501 તેજસ એક્સપ્રેસ પોણા 3 કલાક મોડી પડી હતી.
તેજસ ટ્રેન મોડી પડતા મુસાફરોને મળશે વળતર
પ્રથમ વખત ટ્રેન મોડી પડતા મુસાફરોને મળશે વળતર
વચન મુજબ IRCTC મુસાફરોને આપશે રૂ. 250નું વળતર
પહેલી વાર નવી દિલ્હી જનારી 82501 તેજસ એક્સપ્રેસ પોણા 3 કલાક મોડી પડી હતી. આ કેસમાં IRCTCએ વચનના આધારે યાત્રીઓને વળતર આપવાનું નક્કી કર્યું છે. આ સિવાય અન્ય કેટલીક ટ્રેન પણ મોડી પડી હતી જેમાં કૃષક એક્સપ્રેસ 10 કલાક, લખનઉ મેલ, પુષ્પક એક્સપ્રેસ અને ચંડીગઢ એક્સપ્રેસ પણ મોડી ચાલી હતી.
પહેલી વાર ટ્રેન મોડી થવા પર યાત્રીઓને મળશે વળતર
દેશમાં પહેલી વાર એવું બનશે કે જ્યારે ટ્રેન મોડી પડવાને લઈને યાત્રીઓને વળતર મળશે. IRCTCના ચીફ રીજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું છે કે કૃષક એ્કેસપ્રેસના ડિરેલમેન્ટના કારણે લખનઉ જંક્શનથી ટ્રેન પોણા ત્રણ કલાક મોડી પડી અને દિલ્હી પહોંચતા તે સવા 3 કલાક મોડી પડી હતી. પાછા આવતા પણ ટ્રેન 2 કલાક લેટ નીકળી હતી. આ સ્થિતિમાં IRCTCએ પોતાના વચન અનુસાર દરેક યાત્રીઓને વીમા કંપનીથી 250 રૂપિયાનું વળતર આપશે તેવી જાહેરાત કરી છે. IRCTCએ દરેક યાત્રીઓને મોબાઈલ નંબર પર લિંક મોકલી છે. આ લિંક પર યાત્રીઓ ક્લેમ માટે દાવો કરી શકે છે.
કૃષક એક્સપ્રેસના યાત્રીઓએ કર્યું રાત્રિજાગરણ
આ ટ્રેનના યાત્રીઓને શુક્રવારની આખી રાત લખનઉ જંક્શનના પ્લેટફોર્મ પર ગુજારવી પડી. ટ્રેન રાતના 11.10ને બદલે સવારના 9.10 ના સમયે રવાના થઈ, મોટી સંખ્યમાં યાત્રીઓ સિટી સ્ટેશન અને બાદશાહનગર સ્ટેશન સહિતના અન્ય સ્ટેશનોએ રાહ જોઈ રહ્યા હતા. NERની ભૂલના કારણે યાત્રીઓને યોગ્ય જાણકારી મળી નહીં અને સાથે જ ટ્રેનના તમામ શિડ્યુલ પણ ખોરવાઈ ગયા.