લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્રએ તો આરજેડી સામે જાણે મોરચો જ ખોલી લીધો છે. નવી પાર્ટીની ધમકી આપતા જેતપ્રતાપે અનેક નેતાઓ પર નિશાન સાધ્યું છે. લાલૂ-રાબડી મોર્ચાની ધમકી આપતા તેજપ્રતારના કેવા છે તેવર તે પણ ખરેખર જોવા જેવા હતા.
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્રએ તો આરજેડી સામે જાણે મોરચો જ ખોલી લીધો છે. નવી પાર્ટીની ધમકી આપતા જેતપ્રતાપે અનેક નેતાઓ પર નિશાન સાધ્યું છે. લાલૂ-રાબડી મોર્ચાની ધમકી આપતા તેજપ્રતારના કેવા છે તેવર તે પણ ખરેખર જોવા જેવા હતા.
સિટોની વહેંચણીને બાદ બિહારમાં લાલૂ પરિવારમાં જાણે ધમાસાણ મચ્યું છે. લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ બળવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ તો તેણે લાલૂ-રાબડી મોરચાના નામે નવો પક્ષ બનાવવાની પણ જાહેરાત કરી છે.
જોકે જે રીતે રાજકીય માહોલ ગરમાયો છે. તેને લઈને લાલૂ પરિવારમાં જાણે તેજના તેવર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ રાજકીય ગરમાવા વચ્ચે તેજપ્રતાપે એવું પણ જણાવ્યું છે કે, બંન્ને ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ નથી. આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે, દાંતમાં સડો થવા પર ઈન્જેક્શન આપવું પડે છે. જેથી બેક્ટીરિયાને ખતમ કરી શકાય. તેજસ્વીની આસપાસ પણ ચાપલૂસ ચિપકેલા છે. જે બેક્ટીરિયા છે.
આપને જણાવી દઈએ કે, તેજપ્રતાપ યાદવ પોતાના નજીકના વ્યક્તિને કિટિક આપવા માગતા હતા. પરંતુ ટિકિટ મળી ન શકી. જેને લઈને તેજ પ્રતાપના તેવર બદલાયા છે. પોતાના બંડખોર તેવરને લઈને તેજપ્રતાપે એવું કહ્યું કે, હું બંડખોરની ભૂમિકામાં નહીં પરંતુ કૃષ્ણની ભૂમિકામાં છું.
બંને ભાઈ કૃષ્ણ-અર્જૂનની જેમ છે.. પરંતુ ચૂંટણી સમયે તેજપ્રતાપના આ રીતે તેવર અને નવી પાર્ટી રચવાની જાહેરાત ક્યાંકને ક્યાંક મહાગઠબંધન અને આરજેડી માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે.. જોકે તેજ પ્રતાપના આ બંડખોર તેવર પર તેજસ્વી મલમ લગાવવામાં સફળ થયા છે કે, નહીં તે જોવું રહ્યું.