બિહારની વિપક્ષી પાર્ટી RJDમાં બધુ સમુ સુથરુ ચાલી રહ્યું નથી. લાલુના મોટા પુત્ર અને RJD ધારાસભ્ય તેજ પ્રતાપે રાજીનામાની જાહેરાત કરી છે.
લાલુના મોટા પુત્ર તેજપ્રતાપે RJDમાંથી કરી રાજીનામાની જાહેરાત
ટ્વિટ કરીને આપી જાણકારી
કહ્યું, ટૂંક સમયમાં પિતાને મળીને રાજીનામું આપી દઈશ
આરજેડી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરીને પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપે કહ્યું છે કે, તેઓ મંગળવારે તેમના પિતા અને આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને મળીને રાજીનામું સુપરત કરશે.
RJD leader Tej Pratap Yadav to tender his resignation to his father and party chief Lalu Prasad Yadav, soon pic.twitter.com/gU6U6RVOgo
તેજ પ્રતાપે ટ્વિટ કરીને કહ્યું આવું
તેજ પ્રતાપે ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મેં હંમેશા પિતાના પગલે ચાલવાનું કામ કર્યું છે અને તમામ કાર્યકર્તાઓને સન્માન આપ્યું છે ટૂંક સમયમાં પિતાને મળીને રાજીનામું આપી દઈશ.
કાર્યકરની બંધ રુમમાં પીટાઈનો આરોપ
ઉલ્લેખનીય છે કે પાર્ટીના યુવા નેતા રામરાજ યાદવે આરોપ લગાવ્યો હતો કે તેજ પ્રતાપ યાદવે 22 એપ્રિલના રોજ આયોજિત ઈફતાર પાર્ટીમાં બંધ રુમમાં મને માર માર્યો હતો. સાથે ગાળો દીધી હતી. એટલું જ નહીં પરંતુ તેમણે ધમકી પણ આપી હતી કે પાર્ટી છોડી દેજે નહીંતર 10 દિવસમાં તને ગોળી મરાવી દઈશ. આથી નારાજ થઈને રામરાજ યાદવે રાજીનામું આપી દીધુ હતું.જોકે તેજ પ્રતાપે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો.
કોણ છે તેજ પ્રતાપ યાદવ
તેજ પ્રતાપ હાલ હસનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ગત ચૂંટણીમાં તેઓ મહુઆથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા.તેજપ્રતાપ યાદવ પોતાના નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. 26 માર્ચે તેજ પ્રતાપ યાદવે બે ટ્વિટ કરીને અનેક નેતાઓના ચહેરા ખુલ્લા કરવાની વાત કહી હતી. પહેલા ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, સમય આવી ગયો છે... એક મોટો ખુલાસો, હું ટૂંક સમયમાં જ તે બધા ચહેરા પરથી માસ્ક કાઢીશ... જે મને મૂર્ખ સમજવાનું ભૂલી ગયો. તેજ પ્રતાપે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું હતું કે ગળામાં તુલસી માલા અને દિલમાં પાપ...ભગવાનના નામનો આશરો લેનારા આ ઢોંગીઓને જલ્દી જ સજા થશે. ટૂંક સમયમાં જ કંઈક એવું બહાર આવશે કે નરક પણ તેમના માટે ભાગ્યશાળી નહીં હોય.
તેજ પ્રતાપ યાદવને આરજેડીમાં અસહજ મહેસૂસ કરી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તેજ પ્રતાપ યાદવ આરજેડીમાં અસહજ મહેસૂસ કરી રહ્યાં છે. આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સાથે તેમનો ઝગડો કોઈથી છુપાયેલો નથી. આ પહેલા તેજપ્રતાપે સ્ટુડન્ટ યૂનિટનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજદ કાર્યાલયના સચિવ ચંદેશ્વર પ્રસાદ સિંહને તેમના પદ પરથી હટાવવાનો વિરોધ કર્યો હતો. તેજ પ્રતાપે 26 માર્ચના રોજ એક ટ્વીટ દ્વારા એક મોટો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે... એક મોટો ખુલાસો, હું ટૂંક સમયમાં જ તે બધા ચહેરા પરથી માસ્ક કાઢીશ... જે મને મૂર્ખ સમજવાનું ભૂલી ગયો. હજુ હમણા જ તેમની પર આરજેડી નેતાની પીટાઈનો આરોપ લાગ્યો હતો.