વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સમાજવાદી પાર્ટીએ પોતાનો ઉમેદવાર બોલ્યો છે. સેનામાંથી બરતરફ કરાયેલા પૂર્વ જવાન તેજ બહાદૂરને સપાએ પોતાનો ઉમેદવાર બનાવ્યો છે અને નરેન્દ્ર મોદી સામે વારાણસીથી તેને મેદાને ઉતાર્યો છે. મોદી સામે આ વખતે તમામ ક્ષેત્રના ઉમેદવારો ઉભા રહ્યા છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.
BSFમાંથી બરતરફ કરાયેલાં જવાન તેજ બહાદૂર યાદવને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સપા-બસપાએ પોતાના ઉમેદવારો બદલ્યા છે. સોમવારે ઉમેદવારી પત્ર ભર્યાના અંતિમ દિવસે સમાજવાદીપાર્ટીના ઉમેદવારને લઈને લાંબા સમય સુધી સસ્પેન્સ બની રહ્યું હતું.
છેલ્લે સુધી સસ્પેન્સ રહ્યું યથાવત
અગાઉ જાહેર કરેલા ઉમેદવાર શાલિની યાદવ અને બીએસએફના બરતરફ કરાયેલાં જવાન તેજ બહાદૂર યાદવને લઈ સમાજવાદી પાર્ટી અસમંજસમાં હતી. અંતે સમાજવાદી પાર્ટીમાંથી શાલિની યાદવે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને તેમની જગ્યાએ સપાએ તેજ બહાદૂરને ટિકિટ આપી હતી.
सेना के जवान तेज़ बहादुर जी को वाराणसी से समाजवादी पार्टी का टिकट दिया गया है।
વડાપ્રધાન મોદી સામે નિવૃત્ત જવાનની ટક્કર
સપાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, પીએમ મોદી સામે વારાણસીમાં તેજ બહાદૂર યાદવ પ્રતિસ્પર્ધી છે. તેમણે એમ પણ કહ્યું કે, એસપીની ઉમેદવાર શાલિની યાદવ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. તેજ બહાદૂર યાદવે અગાઉ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. પણ કોઈ કારણોસર તેમનું ઉમેદવારી પત્ર રદ થયું હતું.
જવાને કર્યો આવો દાવો
તેજ બહાદૂર યાદવે હાલમાં જ દાવો કર્યો હતો કે અંદાજે દસ હજાર પૂર્વ સૈનિક વારાણસીમાં અસલી ચોકીદારના પક્ષમાં નકલી ચોકીદારની સામે પ્રચાર કરશે. અને હું હાર-જીત માટે નહીં, પણ પીએમ મોદીને અરીસો દેખાડવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છું.
હું જનતાને જણાવીશ કે સૈનિકોના હિતેચ્છુ ગણાવનાર પીએમ મોદીએ સૈનિકોને કરેલાં એક પણ વાયદાઓ પૂરા કર્યા નથી. આ ઉપરાંત આ બેઠક પર આંદોલન કર્તા ખેડૂતો પણ ફોર્મ ભર્યુ છે. હવે જોવાનુ છે કે, તેજબહાદૂર સપાને કેટલો ફાયદો કરાવી શકે છે.
2017માં એક વિડીયો થયો હતો વાયરલ
2017માં BSFના જવાન તેજબહાદુર યાદવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેમાં તેમણે જવાનોને મળતા ખરાબ ભોજન અંગેનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેણે આ વીડિયોમાં ભોજનની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા કર્યા હતા.
આ મામલે વડાપ્રધાન કાર્યાલયે કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને BSF પાસે એક રિપોર્ટની માગ કરી હતી. જો કે, આ સમયે જ જવાને વીઆરએસ માટે એપ્લાય કર્યું હતું પરંતુ તેને માન્ય નહીં રાખેલ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી BSF નહીં છોડવાનો આદેશ કરાયો હતો.