જસ્ટિસ યૂ.યૂ લલિતની અધ્યક્ષતાવાળી બેંચ 22 ઓગસ્ટે કરશે સુનાવણી, અગાઉ ગુજરાત હાઈકોર્ટ ફગાવી દીધી હતી જમીન અરજી
તિસ્તા સેતલવાડે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા
ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા સુપ્રીમકોર્ટમાં કરી અરજી
તિસ્તા સેતલવાડે સુપ્રીમકોર્ટમાં કરી જામીન અરજી
ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી.તિશ્તાની જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટે જામની અરજી ફગાવી દીધી હતી. ત્યારે તિસ્તા સેતલવાડે હવે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ યૂ.યૂ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચમાં 22 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે ગુજરાત રમખાણ મામલામાં દસ્તાવેજમાં હેરાફેરીનો આક્ષેપ છે
તિસ્તા સેતલવાડ સામે આરોપ શુ ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યુ
જાન્યુઆરી 2014માં તિસ્તા સેતલવાડ સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ FIR
વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો પોલીસનો આરોપ
ક્રેડિટ કાર્ડથી તિસ્તાએ ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો આરોપ
તિસ્તા સેતલવાડ કેસની SIT કરી રહી છે તપાસ
ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે. મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.
તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમમાં કોણ?
DIG, ATS દીપન ભદ્રન ( અધ્યક્ષ)
DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક
ATS SP સુનીલ જોશી
ASP બી.સી સોલંકી
રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં તિસ્તા સામે વધુ એક મોટો ખુલાસો
તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રી કુમારના ગત જામીન અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં તિસ્તા સામે વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો.કોર્ટમાં ઝાકિયા ઝાફરીનો ઉલ્લેખ કરી સરકારી વકીલે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડ,સંજીવ કુમાર અને શ્રીકુમારે ઝાકીયા ઝાફરીનો ઉપયોગ કર્યો છે. ખોટી ફરિયાદો સરકાર વિરુદ્ધ કરવા ઝાકિયાને તિસ્તા સહિતના બે આરોપીએ કહ્યું હતું. જે બાદ પ્લાન મુજબ ઝાકિયા દ્વારા ગુજરાતના તત્કાલિન CM અને રાજકીય નેતાઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મિલિટરી આવવા માંગતી હતી પરંતુ સરકારે મિલેટરીને રોકી હતી જે બાદ સમાધાન કરવા અમને BJP ઓફીસે ઝાકિયાને બોલાવ્યા હતા. પરંતુ ઝાકિયા FIR ન થાય ત્યાં સુધી ગઈ નહીં. આ તમામ ખોટી ફરિયાદ નોંધવા તિસ્તાએ ઝાકીયાનો ઉપયોગ કર્યો હોવાનો દાવો સરકારી વકીલે કોર્ટમાં કર્યો હતો.
SIT તપાસમાં શું શું ખૂલ્યું?
આ પહેલા પણ તિસ્તા સેતલવાડ કેસની તપાસ કરતી SITની તપાસમાં મોટા ખૂલાસા થયા હતા. 18 જુલાઇ SITએ સોંપેલા રિપોર્ટમાં કેસના તાણાવાણા પરથી પડદો ઉઠ્યો હતો. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું ખૂલ્યું હતું. નોંધનિય છે કે, સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમા ખોટુ સોંગદનામુ કર્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો ખુલાસો પણ થયો હતો. આ તરફ SIT દ્વારા તત્કાલીન ડિજીપી, તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવ્યા છે.