SIT દ્વારા મહત્વના સાક્ષીની ઉલટ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. જેમાં તીસ્તા અને અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે સાક્ષી રઈસ ખાન હાજર હોવાનું ખૂલ્યું છે
તીસ્તા સેતલવાડના આક્ષેપ મામલે SIT દ્વારા સાક્ષી રઈસ ખાનની ઉલટ તપાસ
તીસ્તા અને અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે રઈસ ખાન હતો હાજર
મુલાકાત દરમ્યાન તત્કાલીન રાજ્ય સરકારને ઉથલાવવાનું ષડ્યંત્ર રચાયું હતું
રઈસ ખાનની ઉલટ તપાસ બાદ નિવેદનના આધારે વધુ આરોપીઓની તપાસ થશે
તીસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલો એક મોટો ખુલાસો થયો છે. SIT દ્વારા મહત્વના સાક્ષીની ઉલટ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. જેમાં તીસ્તા અને અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે સાક્ષી રઈસ ખાન હાજર હોવાનું ખૂલ્યું છે. આ સાથે અહેમદ પટેલે તીસ્તા સેતલવાડને 5 લાખ અને પછી 25 લાખ રોકડા આપ્યા હોવાનું પણ સામે આવતા હડકંપ મચી ગયો છે.
તીસ્તાના સાથી રહેલા રઈસ ખાનનું SIT સમક્ષ નિવેદન
ગુજરાતમાં તીસ્તા સેતલવાડ દ્વારા કોમી તોફાનોમાં કેસમાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલે હાલ SIT તપાસ કરી રહી છે. આ દરમ્યાન એક્ ચોંકાવનારી વાત સામે આવી છે. એક સમયના તીસ્તાના સાથી રહેલા રઈસ ખાનનું SIT સમક્ષ ફરી એકવાર નિવેદન લેવાયુ છે. જેમાં તીસ્તા અને અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે રઈસ ખાન હાજર હોવાનું સામે આવ્યું છે. આ સાથે મુલાકાત દરમ્યાન તત્કાલીન રાજ્ય સરકારને ઉથલાવવાનું ષડ્યંત્ર રચાયું હોવાનું અને અહેમદ પટેલે તીસ્તા સેતલવાડને 5 લાખ અને પછી 25 લાખ રોકડા આપ્યા હોવાનું ખૂલ્યું છે.
રઈસ ખાનના નિવેદનના આધારે વધુ આરોપીઓની તપાસ થશે
તીસ્તાના સાથી રહેલા રઈસ ખાનનું SIT સમક્ષ નિવેદન લેવામાં આવ્યા બાદ અનેક ખુલાસા થયા છે. સાક્ષી રઈસ ખાનનું મેજિસ્ટ્રેટ સમક્ષ CRPCની કલમ 164 મુજબ નિવેદન નોંધાયું હતું. જેમાં તીસ્તા અને અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે રઈસ ખાન હાજર હોવાનું અને મુલાકાત દરમ્યાન તત્કાલીન રાજ્ય સરકારને ઉથલાવવાનું ષડ્યંત્ર રચાયુ હોવાનું ખૂલ્યા બાદ હવે મોટી કાર્યવાહી થઈ શકે છે. આ સાથે રઈસ ખાનના નિવેદનના આધારે વધુ આરોપીઓની તપાસ થશે.
SITની તપાસમાં તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું પણ ખૂલ્યું
તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું ખૂલ્યું છે. નોંધનિય છે કે, સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમા ખોટુ સોંગદનામુ કર્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો ખુલાસો પણ થયો હતો. આ તરફ હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી, તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવશે.