ગુજરાત રમખાણ કેસમાં ગુજરતને બદનામ કરવાના આરોપસર ATS દ્વારા તીસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તીસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાંથી જાળાની રાહત મીન ન મળતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ત્યારબાદ આ કેસમાં સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડની જામીન અરજી પર ગુજરાત સરકારને નોટિસ આપી છે. તીસ્તા સેતલવાડના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં સેતલવાડ માટે વચગાઅંગે દલીલ કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં તીસ્તા સેતલવાડ મુદે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
કોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યો
આરોપીઓનો હેતુ સરકારને અસ્તીર અને રાજ્યને બદનામ કરવાનો લક્ષ્ય હતો તેમ જણાવી એડિશનલ ચીફ જસ્ટિસ ડીડી ઠક્કરે રાહતનો ઈનકાર કર્યો હતો. તેઓએ રાજકીય જૂથ સાથે કામ કરી અન્ય દેશોમાંથી નાણાકીય લાભ મેળવવા માટે કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
ATSએ તીસ્તા સેતલવાડની કરી હતી ધરપકડ
મહત્વનું છે કે વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડની રાજ્યના ઉચ્ચ અધિકારી, અગ્રણીઑને ફસાવવા માટે નકલી દસ્તાવેજો બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 468 અને 194 હેઠળ તેમની સામે FIR નોંધવામાં આવ્યા હતી. ત્યાર બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જૂનમાં સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી.