બનાવટી દસ્તાવેજો ક્યાંથી મળ્યા, કેવી રીતે સંચાલન કર્યું તેની તપાસ
અગાઉ ઝાકિયાની ઊલટતપાસ કરવામાં આવી હતી
SITએ તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટના કનેક્શનની તાપસ શરૂ કરૂ છે. જેમાં બનાવટી દસ્તાવેજો ક્યાંથી મળ્યાં અને દસ્તાવેજોનું સંચાલન કેવી રીતે કર્યું, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે નિવેદન વાંચવાની મંજૂરી વિના 19 સાક્ષીઓની સહી લેવા મુદ્દે પણ SITએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝાકિયાની ઊલટતપાસ કરવામાં આવી હતી. જેમાં આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સાથે કામ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે તપાસ
જેથી ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે અને સાક્ષીઓને કેવી રીતે શોધી કાઢ્યા હતા, તે મુદ્દે તપાસ કરવામાં આવશે. સાથે જ મુખ્ય કાવતરાખોર રાજકીય રીતે પ્રેરિત હતો કે નહીં તે મુદ્દે તપાસ કરીને નાણાકીય ફંડિંગની પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત સાક્ષીઓને નિવેદનો માટે ડરાવ્યા કે પૈસા આપ્યા તે મુદ્દે પણ SIT દ્વારા તપાસ કરવામાં આવશે.
ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો તિસ્તાનો ઉદ્દેશ-DCP, ક્રાઈમ બ્રાન્ચ
ઉલ્લેખનીય છે કે, તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમબ્રાન્ચે નિવેદન આપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો.જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે. ઉપરાંત ટાન્સફર વોરંટથી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવશે. તિસ્તા સેતલવાડ કોઈ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ સામે કરી શકે છે.
ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી
મહત્વનું છે કે, ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ 2002ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ ઇમ બ્રાન્ચે 14 દિવસ ના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. શ્રી કુમારના પણ 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 5 દિવસ ના રિમાન્ડ બાદ 2 જુલાઈ ના રોજ કોર્ટમાં બંનેને રજુ કરવામાં આવશે.રથયાત્રા નો બંદોબસ્ત હોવાને કારણે 2 જુલાઈ ના રોજ રજૂ કરવામાં આવશે. તપાસ અધિકાર ની રજૂઆત બાદ 2 તારીખ સુધી કસ્ટડીમાં રાખી શકાશે તેના ઓર્ડર પણ કોર્ટ પાસેથી મેળવી લેવામાં આવ્યો છે.
જુઓ તિસ્તા સેતલવાડ સામે શું છે આરોપ?
- વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
- વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
- વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
- ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
- મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
- ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
- સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું
આર.બી.શ્રીકુમાર પર આરોપ શું?
- નાણાવટી-શાહ કમિશન સમક્ષ નવ એફિડેવિટ ફાઈલ કર્યા હતા
- મોટાભાગની એફિડેવિટ જાકિયા જાફરીની ફરિયાદના આધારે કરાઈ હતી
- એફિડેવિટમાં તેમણે રજૂ કરેલી કોઈ પણ વિગત અંગત રીતે પ્રાપ્ત નહોતી કરી
- એફિટેવિટની માહિતી હોદ્દાની રૂએ પ્રાપ્ત કરી હતી
- શ્રીકુમારે ત્રીજી એફિડેવિટથી રાજ્ય સરકાર સામે આરોપ મૂક્વા શરૂ કર્યા હતા
- શ્રીકુમારે SITને જણાવ્યું હતું કે, તેમને ઘણા મૌખિક આદેશો મળ્યા હતા
- શ્રીકુમારના કરેલા દાવા ઘણા આદેશો ગેરકાનૂની અને ભારતના બંધારણની ભાવના વિરુદ્ધ હતા
- શ્રીકુમારે 16-04-2002થી 19-09-2002 સુધીની મૌખિક સૂચનાઓ નોંધવાના રજિસ્ટરમાં ચેડા કર્યા હતા
- શ્રીકુમારને તત્કાલિન IGP ઓ.પી.માથુર દ્વારા આ રજિસ્ટર આપવામાં આવ્યું હતું
સંજીવ ભટ્ટ પર આરોપ શું?
- 27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો
- સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ ન હોવા છતા કર્યો હતો ખોટો દાવો
- 20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને કર્યો હતો ફેક્સ
- SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલાનું પૂરવાર થયું
- ભટ્ટે બદઈરાદાયુક્ત બનાવટી અને ચેડા કરેલો ફેક્સ કર્યો હતો
- કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો આરોપ