સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ટીનેજના આપઘાતના સમાચાર ગુંજી રહ્યા છે.
માતા-પિતાના ઝઘડાએ લીધો જીવ
સાયકલ ચલાવવાની ના પાડી તો ફાંસો ખાધો
મોબાઈલ ગેમ રમવાની ના પાડતા આપઘાત
શહેરમાં આપઘાતના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. આવો જાણીએ જાન્યુઆરીમાં સુરત માસૂમોની આત્મહત્યાથી કેટલું ગાજ્યું.
‘મમ્મી પપ્પા આપ ઝગડતે હો
અલથાણ સુમન અમૃત આવાસ ખાતે રહેતા અમિતસિંહ લેબર કોન્ટ્રાક્ટર છે અને તેમની પત્ની ધીરજસન્સમાં નોકરી કરે છે. તેમનો પુત્ર 13 વર્ષીય પુત્ર શિવાંશ ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. હાલ અમિતસિંહ કામ અર્થે વતન ગયા છે. શનિવારે સવારે તેમની પત્ની નોકરી પર ગયા હતા. દરમિયાન ઘરે એકલા શિવાંશે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દરવાજો ખુલ્લો હોવાથી પાડોશી મહિલા જોવા ગઈ હતી. ત્યારે શિવાંશે આપઘાત કરી લીધો હોવાની જાણ થઈ હતી ખટોદરા પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ‘મમ્મી પપ્પા આપ ઝગડતે હો મે જા રહા હું છોટી બહેનકા ધ્યાન રખના’ એવુ લખ્યું હતું. અમિતસિંહના પત્નીએ પુછપરછમાં જણાવ્યું હતું કે શિવાંશ તેમનો એકનો એક સંતાન હોવાનું તેમજ તેની કોઈ નાની બહેન ન હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્યુસાઈડ નોટ અંગે પણ રહસ્ય ઘેરાયું છે. બનાવ અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
સાયકલ ચલાવવાની ના પાડી તો ફાંસો ખાધો
28 જાન્યુઆરી વેસુ ફ્લોરેન્સ હાઈરાઈજમાં રહેતા યાર્નના વ્યાપારી વિકાસ ઝુનઝુનવાલાના 17 વર્ષીય પુત્ર તનુષે ગુરુવારે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના પિતાએ સાયકલ ચલાવવાની ના પાડી ઠપકો આપ્યો હતો. જેથી તનુષે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મોબાઈલ ગેમ રમવાની ના પાડતા આપઘાત
24 જાન્યુઆરી ડિંડોલી આનંદી ટાઉનશીપ ખાતે રહેતા 16 વર્ષીય ભાનુપ્રતાપ સિંહ ચૌહાણ મોબાઇલમાં અભ્યાસ કરવાના બદલે ગેમ રમતો હતો. જેથી તેની માતાએ મોબાઇલમાં ગેમ ન રમવા બાબતે ઠપકો આપ્યો હતો. ભાનુપ્રતાપને માઠું લાગતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
કેમ મોત વહાલુ કર્યુ ખબર જ નથી
સુરત વેડરોડ પ્રાણનાથ સોસાયટી ખાતે રહેતા ગિરીશભાઈ ખુમાણ મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની 14 વર્ષીય પુત્રી નેન્સી ધો. 10માં અભ્યાસ કરતી હતી. ગત 9 જાન્યુઆરીના રોજ નેન્સીએ કોઈક કારણસર પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. જોકે પરિવારને જાણ થઈ જતા તેને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.જ્યાંથી અન્ય ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં શુક્રવારે મોડી રાત્રે નેન્સીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે કતારગામ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. જોકે નેન્સીએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.
હોમવર્ક માટે ઠપકો આપતા જીવન ટુંકાવ્યું
14 જાન્યુઆરી ડિંડોલી આલોક રેસીડન્સીમાં રહેતી 15 વર્ષીય ખુશી પટેલ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી, ઉત્તરાયણના દિવસે તેને માતાએ ઓનલાઈન હોમવર્કનું કહ્યા બાદ તેની ટીચરને ફોનથી ફરીયાદ કરી હતી. જેથી માઠુ લાગતા ખુશીએ ઝેરી દવા પીતા મોત નિપજ્યું હતું.