ભાવનગરના ઘોઘામાં વાયુસેનાના ચોપરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. સુરત તરફ જઈ રહેલા ચોપરનું ઘોઘાના ઓદરકા ગામની સીમામાં લેન્ડિંગ કરાયું હતું. ચોપરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ભાવનગરમાં ચોપરનું લેન્ડિંગ કરાયું હતું.
ભાવનગરના ઘોઘાના ઓદરકા-કુકડ ગામ નજીક એરફોર્સના ચોપર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સેનાનું હેલિકોપ્ટર એક વાડીમાં ઇમરજ્નસી લેન્ડ કરવામાં આવ્યું હતું. તો આસપાસના ગામના લોકો અને ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું હતું. હેલિકોપ્ટરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતા.
મહત્વનું છે કે, સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનું હેલિકોપ્ટર સવારે જામનગર જઇ રહ્યું હતું. તે દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં જ ઈમરજનસી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. જેના પાયલોટ અને એરફોર્સના જવાનો સુરક્ષિત છે. તેમને કોઇ તબીબી સહાયની જરૂર નથી.
આ મામલે ભાવનગરના કલેક્ટરે પ્રતિક્રિયા આપી છે કે, સુરત કામ માટે આવેલા ચોપરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઘોઘામાં ચોપરનું લેન્ડિંગ કરાયું છે.
આ ઘટનાના પગલે પોલીસ, મામલતદાર અને કુકડ ગામના સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વહિવટી તંત્રએ ફ્લાઇટ લેફ્ટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.