કેટલાક લોકો ચા પીવાના શોખીન હોય છે. એક દિવસ એવો ન હોય જ્યારે ચા રસિકોએ ચાની ચુસ્કી ન લીધી હોય, ત્યારે કેટલાય લોકોને ચા પીવાની એવી ટેવ હોય છે કે તેઓ દિવસમાં 3-4 ચા પી લે છે. તમે દરરોજ ચા કે કૉફી પીતા હશો પરંતુ તેમ છત્તાં કેટલાય લોકોને ચા પીવાની યોગ્ય રીત ખબર નથી. દૂધવાળી ચા આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જાણો, ચા પીવાની યોગ્ય રીત શું હોય છે?
ખાલી પેટ ચા પીવાથી થાય છે નુકસાન
ચા સાથે કંઇક ખાવુ જરૂરી
ડૉક્ટર પણ ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. સૌથી પહેલા તો તમારે ક્યારેય પણ સવારે ઉઠીને ખાલી પેટ ચા ન પીવી જોઇએ. તેનાથી એસિડિટી તદ્દઉપરાંત ભૂખ ન લાગવાની સમસ્યા સર્જાઇ શકે છે.
ખાલી પેટ ચા પીવાથી ફ્રી રેડિકલ્સ અને કેન્સર જેવી ગંભીર બિમારી થઇ શકે છે અને ઝડપી ઘડપણ આવી શકે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે ચાની જગ્યાએ પાણી પીઓ અને ત્યારબાદ અડધા કલાક પછી ચા પીઓ.
વધારે ચા પીવાથી બૉડી આયર્ન અને કેલ્શિયમને યોગ્ય રીતે ઑબ્જર્બ કરી શકતી નથી. તેનાથી હાડકાં નબળા પડવા લાગે છે. તેનું મર્યાદિત સેવન કરો.
કેટલીક રીતે ચા આલ્કોહોલની જેમ વર્તે છે, જે તમારા સ્નાયુઓને સક્રિય તો કરે છે પરંતુ ચાનું વધારે સેવન ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. દિવસભરમાં 2 અથવા 3 વારથી વધારે ચા પીઓ.