સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે ખેડૂતોની બે હજાર મણ મગફળી પલળી જતા ખેડૂતોનો હોબાળો. APMC પ્રમુખે કહ્યું,જુના ભાવે જ ખરીદાશે મગફળી. જાહેરાતથી ખેડૂતોમાં હર્ષની લાગણી
સાવરકુંડલા APMCમાં થયો હોબાળો
પલળી ગયેલી મગફળી મુદ્દે વિફર્યા ખેડૂતો
APMC એ રાહતા આપતા ખેડૂતોમાં હર્ષ
ભાદરવો પણ વીતી જવા છતાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પાછોતરા વરસાદે ખેડૂતોને બે હાલ કરી દીધા છે. સૌરાષ્ટ્રના ત્રણે'ક જિલ્લાઓમાં સ્થિતિ વિષમ છે.ખાસ કરીને અમરેલી,જુનાગઢ, ગોંડલ અને જામનગરના ખેડૂતો હજુ પણ વરસાદના કારણે પાક ધોવાઈ ગયા પછીની મુશ્કેલીઓ વેથી રહ્યા છે.ત્યારે સાવરકુંડલા APMCમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ હોવાથી ભાવ મળવા મુદ્દે હોબાળો સર્જાયો હતો
સમસ્યાનું સમાધાન
છેલ્લા બે દિવસથી પાછોતરા વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઇ હતી. ખેડૂતોની હરાજી થયેલી 2 હજાર મણ મગફળી પલળી જતાં ખેડૂતો અને વેપારીઓ સાથે કેટલીક બાબતોને લઇને બોલાચાલી થઇ હતી.અને ખેડૂતોની મગફળીની હરાજી થઇ ગઇ હોવા છતાં વેપારીઓએ મગફળી ન ઉપાડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની માંગણી હતી કે અમારી મગફળી ગઇકાલના ભાવે જ ખરીદી કરવામાં આવે.ત્યારે આ મામલે APMCના પ્રમુખ દિપક માલાણીએ કહ્યું કે વેપારીઓ સાથે વાતચીત કરી છે...અને ખેડૂતોનો તમામ પલળી ગયેલો માલ ગઇકાલના ભાવથી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આમ જુના ભાવે ખેડૂતોની મગફળી APMC એ ખરીદ કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
વિક્રમજનક રજિસ્ટ્રેશન
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી 1 લાખ 10 હજાર 243 ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 રજિસ્ટ્રેશન થયા છે. જો સૌથી ઓછા મગફળીના રજીસ્ટ્રેશનની વાત કરીએતો અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજીસ્ટ્રેશન જ થયું છે. આમ જુના ભાવે ખેડૂતોની મગફળી APMC એ ખરીદ કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે
મહત્વનું છે કે ખેડૂતો નોંધણીની કામગીરી કરાવવા આવી રહ્યા છે ત્યારે તલાટીઓની હડતાળને પગલે નોંધણીની કામગીરી પણ ખોરવાઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં VCE અને તલાટીઓ મંત્રી હડતાળને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પણ આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ હડતાળ અંગે નિવેડો લાવી દેવામાં આવ્યો છે.