વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે કોઇ વ્યક્તિ રડતી હોય તો તેને રડવા દેવી જોઇએ. તમારી અંદરની લાગણીને વ્યક્ત કરવા નહી, પરંતુ તમારી સારી હેલ્થ માટે પણ આંખમા આંસુ આવવા જોઇએ.
સાત સપ્ટેમ્બરના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની થોડી જ સેકન્ડ પહેલા ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક તુટી ગયો. ઇસરોના વૈજ્ઞાનિકોના જીવ અધ્ધર થઇ ગયા અને આ મિશન સહેજ માટે અધુરુ રહી જવાની જાહેરાત થઇ. અનેક રાષ્ટ્રપ્રેમીઓની આંખો ભીંજાઇ ગઇ હશે તે ચોક્કસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇસરોના ચેરમેન કે.સિવનને સાંત્વના આપવા ગયા ત્યારે સિવન જાહેરમાં રડી પડ્યા. સોશિયલ મિડિયા પર વૈજ્ઞાનિકોની સિધ્ધિને બિરદાવાઇ પરંતુ સિવનના આંસુ ચર્ચાનો વિષય બની ગયા.
આટલી મોટી હસ્તી જાહેરમાં રડે તેની ચર્ચા થયા વગર ન જ રહે. અહીં સવાલ એ આવે છે કે શું વ્યક્તિએ પોતાના ઇમોશન્સને કન્ટ્રોલ કરવા જોઇએ કે આંસુ દ્વારા બહાર નીકળી જવા દેવા જોઇએ. વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે કોઇ વ્યક્તિ રડતી હોય તો તેને રડવા દેવી જોઇએ. તમારી અંદરની લાગણીને વ્યક્ત કરવા નહી, પરંતુ તમારી સારી હેલ્થ માટે પણ આંખમા આંસુ આવવા જોઇએ. ગુસ્સો, નારાજગી, હતાશા અને ચિંતાની જેમજ આંસુઓને પણ વ્યક્ત થવા દેવા જોઇએ.
શું કહે છે સાયન્સ
આંસુ હરખના અથવા તો દુખના હોય છે. સુખ કે દુખમાં આવતા આંસુ એક્સ્ટ્રિમ ઇમોશન્સના લીધે આવે છે. તેને મેડિકલ ટર્મ્સમાં ફિઝિક ટિયર્સ કહે છે. બેસલ ટિયર્સ કોર્નિયાને લ્યુબ્રિકેટ રાખવા માટે હોય છે. કાંદા કાપતી વખતે જે આંસુ આવે છે તેને રિફ્લેક્સ આંસુ કહેવાય છે. સોડિયમ ક્લોરાઇડ અને લાઇસોઝિમની હાજરીના કારણે આંસુ ખારા હોય છે. આપણુ આખુ શરીર ફ્લ્યુડથીજ બનેલુ છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ આંસુની અંદર ઓલેમાઇન અને જોક્રિબેન નામના કોમ્પોનન્ટ શોધી કાઢ્યા છે. સંશોધકોનુ કહેવુ છે કે આંખોને સ્વચ્છ અને કીટાણુરહિત રાખવા આંસુ હોવા જરુરી છે.
આંસુ ન હોય તો શું થાય
દરેક વ્યક્તિની આંખમા આંસુ હોય જ છે. જો તે ન હોય તો આંખો સુકાઇ જાય છે. આપણી આંખમા જે શાઇનિંગ દેખાય છે તે ટિયર ફિલ્મને કારણે જ હોય છે. આંસુની પણ ક્વોલિટી હોય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આંસુની ગુણવત્તા નબળી પડતી જાય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ એક્સપ્રેસિવ હોય છે તેથી તેઓ ઝડપથી રડી પડે છે. આંખમા આંસુનુ અસ્તિત્વ પહેલેથીજ છે. સંજોગો પ્રમાણે ઓટોમેટિકલી તે ઓવરફ્લો થાય છે. આંસુને રોકવાનુ આપણા કન્ટ્રોલમાં હોતુ નથી.