સોમવારથી સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સમયે નવી દિલ્હી માટે જરૂરી એ છે કે પાકિસ્તાન કાશ્મીરને લઈને અહીં કોઈ ચાલ ન રમે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી 9-12 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં ભારતની વિરુદ્ધ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું સત્ર જીનેવામાં 9-27 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન પ્રસ્તાવને આગળ વધારવા ઈચ્છે છે તો તેણે 19 સપ્ટેમ્બર પહેલાં એમ કરવાનું રહેશે.
જીનેવા અને દિલ્હીમાં રાજનાયકો અને સુરક્ષા અધિકારીઓના અનુસાર જ્યારે વિદેશમંત્રી એસ જયશંકર 47 સદસ્યીય યૂએનએચઆરસીના દરેક સદસ્ય સાથે વ્યક્તિગત રૂપથી મુલાકાત કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કાશ્મીરમાં આંતરિક સ્થિતિને મેનેજ કરી. સરકારે આ વાત સુનિશ્ચિત કરી કે ભારતીય સેનાના હાથથી જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોને નુકસાન ન થાય.
યૂએનએચઆરસી જીનેવમાં ભારતના નેતૃત્વ સચિવ (પૂર્વ) વિજય ઠાકુરની સાથે અન્ય અધિકારીઓ સિવાય પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિસારિયા કરશે. પહેલાં પાકિસ્તાન સ્થિતિને જામશે અને પછી યૂએનએચઆરસીમાં તત્કાલ વાતચીત માટે પ્રસ્તાવ રાખશે.
પાકિસ્તાન પાસે અન્ય એક વિકલ્પ એ પણ છે કે કાશ્મીરમાં કહેવાતા માનવઅધિકારોનું ઉલ્લંધનનો પ્રસ્તવા રાખીને પણ વોટ માંગી શકાશે. મુશ્કેલી એ થઈ શકે છે કે 16 ઓગસ્ટે ચીન અને બ્રિટને યૂએનએચઆરસી પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. પણ પરિણામ ભારતના હિતમાં હતું. એવું એટલા માટે થયું કારણકે અમેરિકા, ફ્રાંસ અને રૂસે ભારતનું સમર્થન કર્યું હતું.
ભારતે 5 ઓગસ્ટે જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો. ત્યારબાદ વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની સ્થિતિ જણાવતા ચીન, ઈન્ડોનેશિયા, માલદીવ, બેલ્જિયમ, પોલેન્ડ, રૂસ અને હંગરીની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની તમામ કોશિશને નાકામ કરવા માટે હિંદ મહાસાગર રિમ દેશો અને દક્ષિણ આફ્રિકા, ફિઝી, ઓસ્ટ્રેલિયા અને ફિલિપિંસ સહિત અન્ય સાથે ફોન પર વાત કરી ચૂક્યું છે. તે હાલમાં સિંગાપુરમાં ફોન પર કામ કરી રહ્યું છે કારણ કે પીએમ મોદીએ યૂએનએચઆરસીના સદસ્યોને સમજાવવાનું કામ સોપ્યું છે કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે.
સિંગાપુરમાં એસ. જયશંકરે પણ કહ્યું છે કે મોટાભાગના દેશોએ સ્વીકાર્યું છે કે અનુચ્છેદ 370ને સમાપ્ત કરવો એ ભારતનો આંતરિક મુદ્દો છે. તેઓ જાણે છે કે પાકિસ્તાન આ વિશે ઘણા પ્રયાસ કરી રહ્યું છે. મુખ્ય વાત તો એ છે કે કોઈ મુદ્દે પ્રશ્ન હોય તો ભારત અને પાકિસ્તાને સાથે બેસીને ઉકેલવો જોઈએ.