ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે તેણે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો
ભારતે શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું
T20 બાદ હવે વન-ડે સીરીઝ પર ભારતે કબ્જો મેળવ્યો
શ્રીલંકા 216 રનનાં ઓલઆઉટ થઈ, ભારતે 219 રન બનાવ્યા
હાલના ભારતીય ક્રિકેટ ટીમ જોરદાર ફોર્મમાં છે. ત્યારે T20 સીરીઝ 2-1 થી ભારતે કબ્જે કર્યા બાદ હવે ભારતે વન-ડે સીરીઝ પર 2-0 થી કબ્જે કરી લીધી છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ દ્વારા T20 અને વન-ડે સીરીઝ કબ્જે કરી છે.
ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે તેણે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે અણનમ અડધી સદી ફટકારી હતી.
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી બોલિંગમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. બંને સામે શ્રીલંકાના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. આ પછી ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને કોઈ તક આપી ન હતી.
ભારતીય બોલરોએ પોતાનો જાદુ દેખાડ્યો હતો
ભારત-શ્રીલંકા વચ્ચે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલી બીજી વન-ડે સીરીઝમાં શ્રીલંકાને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારત તરફથી બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાઝે પોતાનો જાદુ દેખાડ્યો હતો. ત્યારે ભારતીય બંને બોલરો સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીયે પડી ગયા હતા. ત્યારે બાદ ભારતીય બેટ્સમેનોએ પોતાનું ધૂંઆધાર બેટીંગ કરી હતી.
શ્રીલંકાની વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ હારવાવાળી ટીમ થઈ ગઈ
શ્રીલંકાની આ હાર સાથે જ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ હારવાવાળી ટીમ થઈ ગઈ છે. એણે ભારતને પણ પાછળ છોડી દીધું છે. જેણે અત્યારે સુધી 436 વખત હાર્યું છે. એટલું જ નહી શ્રીલંકા ભારત સામે વન-ડે ઈંટરનેશનલમાં 95 મી હાર છે.
રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ સારી શરૂઆત કરી હતી
શ્રીલંકા દ્વારા કરવામાં આવેલા 216 રનના ટાર્ગેટને ભારતીય ટીમ દ્વારા સરળતાથી સર કરી વિજય મેળવી છે. ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનીંગ જોડીએ સારી શરૂઆત કરી હતી. ત્યારે બંને 5 ઓવરમાં 33 રન ઉમેર્યા હતા. પરંતું ત્યાર બાદ શ્રીલંકાના બોલરોનું આક્રમણ શરૂ થયું હતું. ત્યારે ચમિકા કરૂણારત્ને એ પાંચમી ઓવરના છેલ્લા બોલ પર રોહિતની વિકેટ લીધી. જ્યારે ગિલ ત્રણ બોલ પછી ચાલતો રહ્યો.
કે.એલ.રાહુલે 64 રન બનાવ્યા હતા
ભારતે શ્રીલંકાને બીજી વન-ડેમાં ચાર વિકેટથી હરાવ્યું છે. ત્યારે 216 રનનાં ટાર્ગેટ સામે ભારતે 43.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને જીતનો ડંકો વગાડ્યો હતો. ભારતીય ટીમના હીરો કે.એલ. રાહુલે 103 બોલમાં 64 રન બનાવ્યા હતા. ત્યારે 103 બોલમાં છ ચોક્કાનો સમાવેશ થાય છે. રાહુલ સિવાય હાર્દિક પંડ્યાએ 36 અને શ્રેયસ ઐયરે 28 રનની રમત રમી હતી.