કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં સ્પોર્ટ્સ જગતને પણ ખૂબ નુકસાન થયું છે. કેટલાય મહિનાઓથી ક્રિકેટરસિયાઓ મેચની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતનાં ક્રિકેટચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસની મંજૂરી આપી દીધી છે.
ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા જશે ટીમ ઇન્ડિયા
ક્વોરન્ટાઈનના દિવસોમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે સૌરવ ગાંગુલી
ગાંગુલીએ વિરાટને આપી ફિટ રહેવાની સલાહ
કોરોના કાળમાં લાંબા સમયથી ભારતમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ બંધ થઇ ગયા છે. ક્રિકેટનાં રસિયાઓ આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. એવામાં બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખુશખબરી આપી છે. ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ તેના માટે સૌરવે એક શરત મૂકી દીધી છે.
સૌરવ ગાંગુલીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હા અમે આ પ્રવાસની પુષ્ટિ કરી દીધી છે. ડિસેમ્બરમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઈ રહી છે. મને આશા છે કે ક્વોરન્ટાઈનના દિવસોમાં ઘટાડો કરવામાં આવશે કારણ કે અમે નથી ઈચ્છતા કે ખેલાડી આટલી દૂર જાય અને બે અઠવાડિયા સુધી રૂમમાં બેસી રહે. આમ કરવાથી તણાવ અને નિરાશા વધશે.
સૌરવ ગાંગુલી અનુસાર વિરાટ કોહલી માટે આ સિરીઝ નવી રાહ અપાશે. તેમણે કહ્યું કે મને નથી ખબર કે તે સમયે હું અધ્યક્ષ પદે રહીશ કે નહીં પણ કેપ્ટન માટે તે કાર્યકાળ એક માપદંડ રહેશે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે હું સતત કોહલીના સંપર્ક માં છું. મેં કોહલીને કીધું છે કે તમારે ફિટ રહેવું પડશે કારણ કે છ મહિનાથી ક્રિકેટ નથી રમ્યા. તમારે તે સુનિશ્ચિત કરવું પડશે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર્સ સામે મેચ રમવા ફિટ રહો.