ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે હજી પણ તકરાર યથાવત છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈના આ નિર્ણયે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
BCCI અને પાકિસ્તાન બોર્ડ વચ્ચે હજી પણ તકરાર યથાવત
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહનુ નિવેદન
એશિયા કપ 2023 માટે ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય
આની પહેલા રમીજ રાજા બીસીસીઆઈના આ નિર્ણયને લઇને અનેક વખત ટીપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી. જય શાહ એસીસી મીટીંગ માટે બહરીન ગયા છે. એશિયા કપ 2023 માટે એક ન્યુટ્રલ વેન્યુ નક્કી કરવામાં આવશે. જો કે, તેને લઇને અત્યાર સુધી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને લઇને કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ રાજકીય તણાવ જવાબદાર
ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023નુ આયોજન પાકિસ્તાનમાં થવાનુ હતુ, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે બીસીસીઆઈએ ટીમ મોકલવાની ના પાડી દીધી.