BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ''એમ.એસ ધોની પોતાના ભવિષ્યને લઇને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સિલેક્ટર્સની સાથે જરૂરથી વાત કરશે.'' ધોની વનડે વર્લ્ડ કપના સેમિફાઇનલ મેચ પછીથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, જેનાથી તેના ભવિષ્ય અંગે સતત અટકળો લગાવવામાં આવી રહી છે.
સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, ધોનીએ કેપ્ટનની સાથે વાત કરી છે તો મને વિશ્વાસ છે કે તેણે સિલેક્ટર્સની સાથે પણ વાત કરી હશે.' આ સિવાય 2011 વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન વિશે વાત કરતા કહ્યુ કે, ''ધોની જેવો ખેલાડી મળલો મુશ્કેલ છે.''
સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ''એ ધોનીનો નિર્ણય હશે કે, તે શું કરવા માગે છે. મેં તેની સાથે વાત નથી કરી પણ તે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન છે.'' 38 વર્ષનો ધોની છેલ્લે વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયામાંથી રમતો જોવા મળ્યો હતો.
47 વર્ષના ગાંગુલીએ કહ્યુ કે, ''તમને બીજો એમ.એસ.ધોની જલ્દી નહી મળે પણ એ તેને નક્કી કરવાનું છે કે તે રમવા માંગે છે કે નહી. આ તેનો નિર્ણય છે.'' ધોનીએ પોતાના ભવિષ્ય અંગે વાત કરી નથી.
તાજેતરમાં જ મુંબઇમાં જ્યારે એક કાર્યક્રમમાં તેણે કમબેક લઇને સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબમાં ધોનીએ કહ્યુ કે, ''મને જાન્યુઆરી 2020 પછી આ અંગે સવાલ પૂછવામાં આવે.'' તાજેતરમાં જ ટીમ ઇન્ડિયા ICC ટૂર્નામેન્ટ ન જીતી શકવાના સવાલ પર સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ''તે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે આ વિશે વાત કરશે.''
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા છેલ્લે 2013માં ICC ટૂર્નામેન્ટ જીતી હતી જ્યારે ધોની ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો હતો. આ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ.