ઓમિક્રોન વાયરસના કારણે ઘણા સમયથી ચર્ચા હતી કે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકા જશે કે નહી પરંતુ હવે કન્ફર્મ કરી દેવામાં આવ્યું છે કે ભારતની ટીમ આફ્રીકા જશે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે ટીમ જશે સાઉથ આફ્રીકા
BCCIએ કરી ભારતીય પ્રવાસની પુષ્ટી
BCCIએ CSAને પણ આ મુદ્દે આપી દીઘી જાણકારી
દક્ષિણ આફ્રીકામાં ફેલાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે આ મૅચની સિરીઝ કેન્સલ થવાના સમાચાર આવ્યા હતા પરંતુ BCCIએ પુષ્ટી કરી દીધી છે કે ટીમ સાઉથ આફ્રીકા જઇને મૅચ રમશે, જો કે કઇ તારીખે જશે તેને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી.
India to tour South Africa for three Tests and three ODIS, T20Is to be played later: BCCI secretary Jay Shah to ANI pic.twitter.com/2DkPVEDGzR
BCCIએ CSAને આપી જાણકારી
બીસીસીઆઇના અધિકારી અરુણ ધૂમલે જાણકારી આપી છે કે, ભારતનો પ્રવાસ માત્ર ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે હશે. સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડને પણ આ બાબતે જાણકારી આપી દેવામાં આવી છે. ચાર ટી 20 મૅચને ટાળી દેવામાં આવી છે.
India to tour SA for three Tests, three ODIS, T20Is to be played later: Jay Shah
માનવામાં આવી રહ્યું છે કે પહેલી મેચ 26 ડિસેમ્બરે રમાશે પરંતુ તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી. ટીમ ઇન્ડિયાની સાઉથ આફ્રીકામાં રમાનારી ટેસ્ટ સિરીઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે. જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.