ટીમ ઈન્ડિયા હાલ ચોથી ટેસ્ટમાં ઘણી પાછળ દેખાઈ રહી છે અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે.
ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ કરશે?
ટીમ ઈન્ડિયા આ મેચ ડ્રો કરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે
શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી
ડબલ્યુટીસી ફાઈનલની રેસ હાલ ખૂબ જ રસપ્રદ તબક્કામાં પ્રવેશી ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં અટવાયેલી જોવા મળી રહી છે. જો કે હજુ મેચનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ જે રીતે બેટિંગ કરી રહી છે તે જોતા લાગે છે ઓસ્ટ્રેલિયા પૂરી મહેનત કરી રહી છે એ તે આ મેચ વહેલી તકે જીતે.
શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી
એવામાં જો ભારતીય ટીમ મેચ હારે છે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે એવામાં શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી દીધી છે. નોંધનીય છે કે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે, મેચના બે દિવસ થઈ ગયા છે અને ત્યાં સુધીમાં શ્રીલંકાની ટીમ ફ્રન્ટ ફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે એવામાં WTC ફાઇનલમાં જવા માટે શું સમીકરણો છે અને આગળ શું થશે એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે.
ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ કરશે?
ટીમ ઈન્ડિયા હાલ ચોથી ટેસ્ટમાં ઘણી પાછળ દેખાઈ રહી છે અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. હવે એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા કાં તો આ મેચ હારી જશે અથવા તો મેચ ડ્રો થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા આ મેચમાં હારશે તો મામલો ખૂબ જ ખરાબ થઈ જશે અને જો મેચ ડ્રો થશે તો પણ રમત ખરાબ થશે, પરંતુ સંકટ ઓછું થશે. પરંતુ જો આ બેમાંથી કોઈ એક પરિણામ આવે છે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ કરશે તે જાણવું રસપ્રદ છે.
જો ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પ્રવેશવું હશે તો શ્રીલંકાએ ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરવી પડશે નહીં તો તેણે મેચ હારવી પડશે. પણ અંહિયા જો શ્રીલંકાને ફાઇનલમાં જવું છે તો શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની બંને મેચ જીતવી પડશે. જો એક પણ મેચ ડ્રો થાય છે, તો તેમની રમત ત્યાં જ સમાપ્ત થઈ જશે.
હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા આ મેચ નહીં જીતી શકે પણ તે ડ્રો મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આનાથી ટીમ ઇન્ડિયાને બે ફાયદા થશે. પહેલું એ છે કે 2.1 થી સિરીઝ ભારતના નામે થઈ જશે અને બીજી એ કે તે પછી WTC ફાઈનલમાં પણ એન્ટ્રી મળવાની સંભાવના વધી જશે.
શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મજબૂત પકડ જમાવી
જો શ્રીલંકાની ટીમ પોતાની બંને મેચ જીતી જાય છે તો ટીમ ઈન્ડિયા પાસે ફાઇનલમાં એન્ટ્રી મેળવવાનો એક જ રસ્તો બચશે કે તેને મેચ જીતવી પડશે અથવા તો તેને બરાબરી પર ખતમ કરવી પડશે. દરમિયાન જો ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાના પ્રદર્શનની વાત કરીએ તો ત્યાંની મેચ પણ ઘણી રસપ્રદ બની છે. શ્રીલંકાની ટીમ આ મેચમાં આગળ છે. નોંધનીય છે કે બંને મેચ એક સાથે ચાલી રહી છે. આ મેચ છે જે WTCની અંતિમ બે ટીમો નક્કી કરશે. બાકીના ત્રણ દિવસમાં ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.