ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઍૅન્ટીગામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ ઉપાધ્યક્ષ અરૂણ જેટલીના સન્માનમાં પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા ઉતરી.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઍન્ટીગામાં પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે મેદાનમાં રમવા ઉતરી હતી. આ દરમ્યાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અરુણ જેટલીના સન્માનમાં પોતાના હાથના બાવડા પર કાળી પટ્ટી બાંધીને રમ્યા હતાં. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી BCCI ના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યાં છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ક્રિકેટ પ્રશાસક જેટલીનું શનિવારે બપોરે 12.07 વાગ્યે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થઈ ગયું.
End of the West Indies innings. They are bowled out for 222. #TeamIndia lead by 75 runs. 5 for Ishant, 2 each for Shami & Jadeja. 1 for Bumrah #WIvINDpic.twitter.com/kFSzywVUoN
દિવસની રમત શરૂઆત થવાના ઠીક પહેલા BCCIના એક સીનિયર અધિકારીએ જાણકારી આપી હતી. અધિકારીનું કહેવું હતું કે કાળી પટ્ટી બાંધીને રમવાનો વિચાર કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીનો હતો જેનું પ્રશાસકોની સમિતિ (CoA) અને CEO રાહુલ જોહરીએ પણ સમર્થન કર્યુ. મહત્વનું છે કે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ પણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે શ્રી અરૂણ જેટલીજીના નિધનની ખબરથી પરેશાન અને દુઃખી છું. વાસ્તવમાં તેઓ એક સારા માણસ હતાં અને હંમેશા અન્યની મદદ કરવા માટે તૈયાર રહેતા હતાં. 2006માં મારા પિતાનું નિધન થયું ત્યારે તેઓ પોતાનો કિંમતી સમય નીકાળીને મારા ઘરે આવ્યાં હતાં અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમની આત્માને શાંતિ મળે.
Shocked & saddened to hear about the passing away of Shri Arun Jaitley ji. He was genuinely a good person, always willing to help others. He took out his precious time back in 2006 when my father passed away to come to my home & pay his condolences. May his soul rest in peace.