આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી વન ડે ચાલી રહી છે.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં જ્યારે મેચ રમવા મેદાનમાં ઉતરી ત્યારે કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી.
શુક્રવારે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું નિધન
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં 21 ઓવરમાં એક પણ રન આપવા માટે યાદ કરવામાં આવે છે
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારત માટે કરો યા મરો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરૂનાં એમ ચિન્નાસ્વામી સ્ટેડીયમ મેચ ચાલુ થઇ છે. જેની પાછળ એવું કારણ છે જે તમને ભાવુક કરી શકે છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સતત 21 ઓવરમાં એક પણ રન ન આપનાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું શુક્રવારે નિધન થઇ ગયું છે. તે 86 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી સાથે મેદાન પર ઉતરી હતી.
નાડકર્ણી ડાબા હાથના બેટ્સમેન અને સ્પિનર હતા. તેમણે ભારત તરફથી 41 ટેસ્ટમાં 1414 રન અને 88 વિકેટ લીધી હતી. તે મુંબઈનાં શ્રેષ્ઠ ક્રિકેટરોમાં એક છે. નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં 1955માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ્યા અને અંતિમ ટેસ્ટ 1968માં ઓકલેન્ડમાં રમી હતી. 21 ઓવરમાં એક પણ રન ન આપવા માટે તેમને યાદ કરવામાં આવે છે.
મહત્વનું આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં મેચ ચાલી રહી છે જેમાં ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું નક્કી કર્યું છે. આજે અંતિમ વન ડે જે જીતશે તે જ ટીમ સીરીઝ વિજેતા બનશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. ભારતે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.