ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ટી-20 ફોર્મેટમાં સુકાનીપદ છોડવાની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા. વિરાટ કોહલી 2021માં ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલીનો વર્તમાન સમય સારો ચાલી રહ્યો નથી.
ભારતીય ટીમમાં કોહલી વિરુદ્ધ શરૂ થયો બળવો
કોહલીના વર્તનને લઇ ટીમના સિનિયર ખેલાડીએ કરી હતી ફરિયાદ
સિનિયર ખેલાડીએ BCCI સેક્રેટરીને કરી હતી ફરિયાદ
કોહલી વિરુદ્ધ શરૂ થયો હતો બળવો
એવા અહેવાલ આવી રહ્યાં છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે કોહલીના વર્તનને લઇ ભારતીય ટીમના એક સીનિયર ખેલાડીએ BCCIને ફરિયાદ કરી હતી. ક્રિકેટ નેકસ્ટ મુજબ, ભારતીય ટીમના એક સીનિયર ક્રિકેટરે વિરાટ કોહલીના વર્તનને લઇ BCCIને ફરિયાદ કરી હતી. સુત્ર મુજબ, થોડા મહિના પહેલાં ભારતીય ટીમની અંદર વિરાટ કોહલીની સામે બળવો શરૂ થયો હતો. એવા અહેવાલો છે કે અમુક સીનિયર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીના વર્તનને લઇ નારાજ હતા. રિપોર્ટસ મુજબ, એક સીનિયર ખેલાડીએ કોહલીની સામે BCCI સેક્રેટરીને ફરિયાદ કરી હતી. રિપોર્ટસ મુજબ, એક સીનિયર ખેલાડી કોહલીથી નારાજ હતો. તેથી તેણે કોહલીની ફરિયાદ બીસીસીઆઈને કરી હતી. કોહલીએ નજર અંદાજ કર્યા બાદ પણ આ ખેલાડીએ પગલું ઉઠાવ્યું. જોકે, હજી સુધી સ્પષ્ટ થયુ નથી કે આ ખેલાડી કોણ હતો.
કોહલીને પસંદ કરતા નથી ખેલાડી
થોડા સમય પહેલાં બીસીસીઆઈના સુત્રએ કહ્યું હતું, કોહલી નિયંત્રણ ગુમાવી રહ્યાં છે. તેમણે સન્માન ગુમાવી દીધુ છે અને કેટલાંક ખેલાડીઓને તેમનું વલણ પસંદ આવતુ નથી. હવે તેઓ એક પ્રેરણાવાદી કેપ્ટન રહ્યાં નથી અને ખેલાડીઓનું સન્માન પણ મેળવી શકતા નથી. કોહલી સાથે જ્યારે ઉકેલ લાવવાની વાત આવે ત્યારે તેઓ દરેક હદ પાર કરી દે છે. બીસીસીઆઈના સુત્રએ કહ્યું હતું, કોહલી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં છે.
વિરાટની સાથે વાતચીતની સમસ્યા
આ ખુલાસા પહેલાં પૂર્વ ખેલાડીએ પીટીઆઈ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતુ, વિરાટની સાથે સમસ્યા વાતચીતની છે. મહેન્દ્ર સિંહ ધોની મામલે તેમનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો હતો અને ખેલાડી તેમના રૂમની અંદર જઇ શકતો હતો. વીડિયો ગેમ રમી શકતો હતો, ખાવાનું ખાઈ શકતો હતો અને જરૂરિયાતના સમયે ક્રિકેટ અંગે વાતચીત પણ કરી શકતો હતો. તેમણે કહ્યું, જ્યારે મેદાનની બહાર કોહલી સાથે મુલાકાત કરવી ખૂબ જ મુશ્કેલ છે.